________________
મેઢામાંથી પાણી છૂટે, જુએ આંખ અને વિકાર આખા શરીરમાં થાય-એ કેમ બની શકે? માટે એ વાત નક્કી થઈ શકે છે કે, ઇંદ્રિયોથી જુદે બીજે કેઈ અનુભવ કરનાર હોવો જોઈએ અને જે એ અનુભવ કરનારે છે તે જ માત્મા છે. એ વિશે બીજું પગ આ એક અનુમાન છે- આપણે વસ્તુ માત્રને આંખથી જોઈએ છીએ અને પછી તેને લેતી હોય તે હાથવડે લઈએ છીએ. હવે જે આત્મા, ઈદ્રિયરુપ જ હોય તે આંખવડે જોયા પછી હાથને એ લેવાને હુકમ કોણ કરી શકે? આંખ તો માત્ર જોઈ શકે છે પણ તે લઈ શકતી નથી, તેમ લેવરાવી શકતી નથી. માટે એ હાથ ઉપર લેવાનો અને આંખ ઉપર જવાનો હુકમ કરનાર કોઈ પાર્થ એથી જુદો હવે જોઈએ અને જે એ પદાર્થ છે એ જ આત્મા છે. આ પ્રકારે બીજા પણ અનેક પ્રમાણે છે, જે વિશેષાવશ્યકની ટીકામાં નોંધેલાં છે, તે બધાં એક અાજે આત્માની સિદ્ધિ કરી રહ્યાં છે. માટે હવે આત્માની હયાતીમાં કોઈ પ્રકારની જરા પણ શંકા રહી શકે એમ નથી, એમ સે વાદિઓએ સમજી લેવાનું છે–એ રીતે જૈનદર્શન, આત્માની સાબીતી કરી રહ્યું છે.
ઇતિ જીવવાદ,
અજીવવાદજે એનાથી (જીવથી) વિપરીત છે તે અજીવ છે. ૪.
જૈન દર્શનમાં અજીવ તત્વની વ્યાખ્યા અને વિભાગ નીચે પ્રમાણે છે – ઉપર પ્રમાણે જીવના જે જે ધર્મો-સ્વભાવો કે ગુણ-કહ્યા છે તેનાથી વિપરીત સ્વભાવવાળા ભાવને અજીવ કહેવામાં આવે છે. અર્થાત જે ભાવમાં મૂળથી જ જાણપણું હેતું નથી, જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરે ગુણે ભિન્નપણે અને અભિન્નપણે રહેલા હોય છે, જેનો પુનર્જન્મ હોતો નથી, જે પાપ, પુણ્ય કે કોઈ પ્રકારના કર્મને કરતો નથી અને તેના ફળને ભગવતી પણું નથી એવો જે ભાવ જડરૂપ છે તેનું નામ અજીવ છે. તે અજીવ પાંચ પ્રકારનો છે- ધર્મ (ધર્માસ્તિકાય), ૨ અધર્મ (અધર્માસ્તિકાય), ૩ આકાશ s, 4, P. H. 11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org