________________
સૂકાઈ જાય છે–એ નજરોનજરની હકીકત છે. તથા જેમ મનુષ્યનું શરીર માતાનું દૂધ, શાક અને ચોખા વિગેરેને આહાર કરે છે તેમ વનસ્પતિનું શરીર પણ પૃથિવો અને પાણી વિગેરેનો આકાર કરે છે. જે વનસ્પતિમાં સજીવપણું ન હોય તો એમાં આહાર કરવાની શક્તિ શી રીતે સંભવે ? માટે વનસ્પતિને સચેતન માનવામાં હવે કોઈ જ વાંધો આવે તેમ નથી. વળી, જેમ મનુષ્યનું આયુષ્ય માપસર હોય છે તેમ વનસ્પતિનું આયુષ્ય પણ માપસર છેવનસ્પતિનું વધારેમાં વધારે આયુષ્ય દશ હજાર વર્ષનું હોય છે. તથા જેમ ગમતું મળવાથી મનુષ્યનું શરીર વધે છે અને અણગમતું મળવાથી મનુષ્યનું શરીર ઘટે છે તેમ અને તે જ હેતુથી વનસ્પતિના શરીરને વધારે અને ઘટાડે થયા કરે છે. વળી, મનુષ્યના શરીરને રોગો થવાને લીધે જેમ પીળાપણું, પિટનું વધી જવું, સો ચડવો, પાતળાપણું અને આંગળાં વિગેરેનું વાંકાપણું તથા ખરી જવાપણું થઈ જાય છે તેમ વનસ્પતિના શરીરને પણ એ જાતના રોગ થવાને લીધે કુલ, ફળ, પાંદડાં અને છાલ વિગેરેમાં એ જ પ્રકારના વિકાર થઈ જાય છે, એ બધાંને રંગ બદલાઈ જાય છે, એ બધાં ખરી પડે છે અને વખતે વખતે એમાંથી ૫ણી પણ કરે છે અર્થાત મનુષ્યની પેઠે વનસ્પતિને રેગ પણ થયા કરે છે. વળી, જેમ ઔષધના પ્રયોગથી મનુષ્યનું શરીર નિરોગી બને છે, એનાં ગુમડાં રૂઝાઈ જાય છે, તેમ વનસ્પતિના દેહને પણ ઔષધનું સિંચન કે લેપ કરવાથી તે જ જાતને ફાયદો થતો જણાય છે. તથા જેમ મનુષ્યનું શરીર, રસાયન વિગેરેના સેવનથી બળવાળું અને કાંતિવાળું થાય છે તેમ વનસ્પતિને દેહ પણ ખાસ આકાશના પાણી વિગેરેના સુચનથી વિશેષ રસવાળા અને કાંતિવાળે બને છે–ખાસ વનસ્પતિઓને માટે એક વૃક્ષાયુર્વેદ પણ લખાએલો છે. વળી, જેમ સ્ત્રીઓને દેહદ(કોડ) પૂરા કર્યા પછી પુત્રાદિને પ્રસવ થાય છે તેમ વનસ્પતિના પણ કોડ પૂર્યા પછી એને ફૂલ અને ફળ વિગેરે આવે છે. આ પ્રકારે વનસ્પતિના અને મનુષ્યના દેહમાં ઘણું ખરું મળતાપણું આપણે સૈ નજરે જોઈ શકીએ છીએ તે પછી મનુષ્યના દેહમાં જેમ ચિતન્ય વિષે શંકા ઉઠાવી શકાતી નથી તેમ વનસ્પતિના દેહ વિષે પણ એ શંકા શી રીતે ઉઠાવી શકાય ? આ વિષે આથી વધારે બીજી શી દલીલ કરી શકાય ? છેવટમાં જેમ જન્મ, જરા, મરણ અને રોગ વિગેરેની હયાતીવાળી સ્ત્રી ચેતનાવાની છે તેમ અને તે જ કારણથી વનસ્પતિ પણ ચેતનાવાળી છે. હવે એ વિશે બે સંત થઈ શકે તેમ નથી. આ પ્રકારે પુછી પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org