SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ બાળરૂપે, યુવાનરૂપે અને ઘરડાપે દેખાય છે માટે એ, પુરૂષના શરીરની જેવું હોવાથી સચેતન છે. વળી, જેમ મનુષ્યનું શરીર નિરંતર જુદી જુદી અવસ્થાઓને અનુભવતું નિયમિત રીતે વધ્યા કરે છે તેમ અંકુ, કિસલય, ડાળ, પેટા ડાળ વિગેરે અનેક અવસ્થાઓને અનુભવતું વનસ્પતિ-શરીર પણ વધ્યા કરે છે માટે જ એ સચેતન છે. વળી, જેમ મનુષ્યના શરીરમાં જ્ઞાનનો સંબંધ છે તેમ વનસ્પતિના શરીરમાં પણ જ્ઞાનનો સંબંધ છે–ખીજડે, પ્રપુત્રાટ, સિધ્ધસર, કાસુંદક, વશ્લે, અગથિઓ, આમલી અને કડિ વિગેરે વનસ્પતિઓ સૂઈને જાગે છે માટે જ એમાં જ્ઞાનની હયાતી જાણ શકાય છે. વળી, તેમાં મૂછ પણ રહેલી જણાય છે. કારણ કે, એ વૃક્ષે પિતાનાં મૂળની નીચે ધનના ચરને દાબી રાખે છે વા એ ચરૂઓને મૂળિયાંથી વીંટી લે છે. તથા, વડ, પીપળો અને લિંબડે વિગેરેના અંકુરાએ ચેમાસાના વરસાદની ગર્જનાથી અને ઠંડા વાયુના સ્પર્શથી ઉભી નીકળે છે–એટલે એ વનસ્પતિઓમાં શબ્દને ઓળખવાની કે સ્પર્શને પારખવાની શક્તિ પણ રહેલી છે. તથા, અશોકના ઝાડને પાંદડાં અને ખુલે ત્યારે જ આવે છે જ્યારે એને ઝાંઝરવાળી અને દિવાળી સ્ત્રી પોતાના કામળ પગેવડે ઠોકરે ચડાવે. ફણસના ઝાડને જ્યારે કોઈ જુવાન સ્ત્રી આલિંગન દે ત્યારે પુલો અને પાંદડાં આવે છે. જ્યારે સુગંધી દારૂનો કોગળા નાખવામાં આવે ત્યારે બકુલ (બાવળે ? ) ના ઝાડને પાંદડાં અને કુલે આવે છે. સુગંધી અને ચોકખું પાણું સિંચવાથી ચંપાના ઝાડને પાંદડાં અને પુલો આવે છે. કટાક્ષપૂર્વક સામે જેવાથી તિલક (તલ?) ના ઝાડને પાંદડાં અને કલે આવે છે. પાંચમા સ્વરના ઉતારથી શિરીષનાં અને વિરહકનાં ઝુલે ખરી જાય છે. કમળ વિગેરે સવારે જ ખીલે છે, ઘાતકી વિગેરેનાં ફૂલો સાંજે ખીલે છે. કુમુદ વિગેરે ચંદ્રમાં ઉગ્યા પછી જ ખીલે છે. તથા પાસે વરસાદ પડવાથી શમીનું અવક્ષરણ થઈ જાય છે, વેલા વિગેરે ભીંત ઉપર ચડી જાય છે, લજજાવંતી વિગેરેના રોપાઓ હાથ અડકતાં જ તદન પ્રત્યક્ષપણે સંકેચ પામે છે. અથવા વનસ્પતિ માત્ર અમુક અમુક ઋતુમાં જ ફળ આપે છે– એ બધા ઉપર કહેલા ગુણો જ્ઞાન સિવાય સંભવી શકતા નથી. માટે વનસ્પતિઓમાં એ ગુણોની હયાતી હોવાથી એમાં જ્ઞાનનું હોવાપણું અને એને લીધે ચૈતન્યનું હોવાપણું પણ સ્પષ્ટપણે સાબીત થઈ શકે છે. વળી જેમ હાથ, પગ કે બીજો કોઈ અવયવ કપાયા પછી મનુષ્યનું શરીર સુકાય છે તિમ વનસ્પતિનું શરીર પણું પાંદડાં, ફળ અને પેલે કપાયા પછી ફરમાઈ– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy