________________
હકીકત અબાધપણે સાબીત થઈ શકે છે. - હવે વાયુમાં પણ જીવ છે, એ હકીકતને સાબીત કરનારા આ પ્રમાણે છે – ૧. જેમ કોઈ ચમત્કારવાળી શક્તિને લીધે દેવનું શરીર નજરે દેખાતું નથી પણ તે ચેતનાવાળું છે અને વિદ્યા, મંત્ર તથા આંજણ વિગેરેના પ્રભાવથી કોઇ સિદ્ધ મનુષ્યનું શરીર નજરે દેખાતું નથી, કિંતુ તે પણ ચેતનાવાળું છે એ જ પ્રમાણે વાયુનું શરીર નજરે જણાતું નથી તે પણ એ, એ બન્નેના શરીરની પેઠે ચેતનાવાળું છે–એમ કહેવામાં કશો વાંધો આવતો નથી. જેમ પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે માટે જણાતું નથી અને બળેલ પાષાણને ટુકડો ઉને લાગે છે પણ તેમાં અગ્નિ જણાતું નથી તેમજ વાયુમાં રહેલું ૫ પણ ઘણું જ સૂક્ષ્મ હોવાથી એ આપણી નજરે જણાતું નથી. ૨. જેમ ગાય અને ઘેડે વિગેરે પિતાની જ મેળે-કોઈની પણ પ્રેરણું સિવાય વાંકા વાંકા અને ગમે તે તરક અનિયમિતપણે ચાલે છે તેમ વાયુ પણ પોતાની જ મેળે વાંકો વાંકે અને ગમે તે તરફ અનિયમિતપણે વાતે હોવાથી એઓની પેઠે જીવ-સંયોગી છે. જો કે જીવ અને પુલની ગતિ અનણિ હોવાથી પરમાણુ પણ વાંકો વાંક ગતિ કરે છે, પણ તે તે નિયમિત રીતે જ એવી ગતિ કરતે હોવાથી, એ કાંઈ વાયુને લગતી આ હકીકતમાં જરા પણ આડે આવે તેમ નથી. આ પ્રકારે શરૂથી કોઈ પ્રકારના આધાતને નહિ પામેલે વાયુ “ સજીવ ' છે એમ સમજી લેવાનું છે.
હવે વનસ્પતિને “સજીવ' તરીકે સમજવાની યુકિતઓ આ પ્રમાણે
૧. જે સ્વભાવ મનુષ્યના શરીરમાં છે તે જ સ્વભાવે વનસ્પતિના શરીરમાં પણ સ્પષ્ટપણે જાણી શકાય છે, માટે વનસ્પતિઓને પણ મનુષ્યની જ પેઠે સજીવ માનવી જોઈએ. કારણ કે, વનસ્પતિમાં રહેલા મનુષ્ય–શરીરની જેવા સ્વભાવો એની (વનસ્પતિની) સજીવતા સિવાય સંભવી શકે નહિ. જે વનસ્પતિમાં જે જાતને મનુષ્ય-સ્વભાવ રહેલું છે તે આ પ્રમાણે છે –
જેમ મનુષ્યનું શરીર બાળરુપે, કુમારપે, યુવાનપે અને ઘરડારુપે દેખાય છે અને તેમ દેખાતું હોવાથી એ, સ્પષ્ટપણે ચેતનાવાળું મનાય છે તેમ વનપતિને દેહ પણ એ સારે દશાઓને અનુભવે છે; જેમ કે, કેતકનું ઝાડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org