SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ ૫. જેમ કેટલીક વાર વાદળાના વિકારમાં પિતાની મેળે જ ઉત્પન્ન થએલું અને પડતું માછલું સચેતન છે તેમ આકાશમાં રહેલું પાણું પણ સચેતન છે. એ પ્રકારે અનેક યુક્તિઓથી પાણીને સચેતન સમજવાનું છે. ૬. શીઆળાની ઋતુમાં જ્યારે બહુ જ ઠંડી પડતી હોય છે ત્યારે નાના જળાશયમાં ડે, મોટા જલાશયમાં વધારે અને એથી પણ મોટા જલાશયમાં એથી પણ વધારે બાફ નીકળતે દેખાય છે, તે જીવહેતુક જ હવે જોઈએ. જેમ થોડા મનુષ્યોની ભીડમાં છેડો બાર, વધારે મનુષ્યોની ભીડમાં વધારે બાફ અને એથી પણ વધારે મનુષ્યોની ભીડમાં એથી પણ વધારે બાફ થાય છે તે વાહતુક છે તેમ જલાશયમાંથી નીકળતો બાફ પણ છવહેતુક છે–જેમ મનુષ્યના શરીરનો ઉષ્ણ પશ, ઉષ્ણુ સ્પર્શવાળી વસ્તુથી પેદા થાય છે તેમ શીઆળામાં પાણીમાંથી નીકળતે ઉષ્ણુ સ્પર્શ પણ ઉષ્ણુ પશ - વાળી વસ્તુથી પેદા થાય છે. કદાચ કોઈ એમ કહે કે, પાણીમાં એ ઉષ્ણુ સ્પર્શ સ્વાભાવિક છે, તો એમ કાંઈ માનવાનું નથી. કારણ કે, વૈશેષિક વિગેરે વાદિઓએ કહ્યું છે કે, “પાણીમાં ઠંડે સ્પર્શ જ હોય છે” તાત્પર્ય એ છે કે, તળાવ કે કૂવા વિગેરે દરેક જલાશયમાંથી શીઆળામાં જે બાફ નીકળે છે તે, જીવહેતુક છે. જેમ શીઆળામાં ઠરે પાણીએ નહાવા મનુષ્યના શરીરમાંથી બાફ નીકળે છે તેનું કારણ એનો તેજસ શરીરવાળો આત્મા છે તેમ શીઆળામાં પાણીમાંથી નીકળતા બાદનું કારણ પણ પાણીને તૈજસ શરીરવાળો આત્મા છે–એ સિવાય પાણીમાંથી બાફ નીકળવાનું બીજું કારણું હેતું નથી–માટે પાણી પણ જીવવાનું છે, એ હકીકત રપષ્ટપણે સાબીત થઈ શકે એવી છે. કદાચ એમ કહેવામાં આવે છે, કેટલીક વાર ઉકરડાના કચરામાંથી બાફ નીકળતા જણાય છે, અને એ બાફનો કોઈ હેતુ હોય એમ મનાતું નથી, તેથી પાણીમાંથી નીકળતા બાફ પણ એ ઉકરડાના જ બાફની પિડે શી રીતે અહેતુક ન હોઈ શકે ? એનું સમાધાન આ પ્રમાણે છે –ઉકરડામાં પણ જે ઉષ્ણતા રહેલી છે અને એમાંથી જે બાફ નીકળે છે તેનું કારણ તેમાં પેદા થએલા જીવોનાં મૃત–શરીરો છે અર્થાત્ ઉકરડાને બાર અને એનો ઉષ્ણ સ્પર્શ એ બન્ને પણ કાંઇ અકારણ નથી–કિંતુ કારણવાળા જ છે. અહીં કદાચ એમ પૂછવામાં આવે છે, જેનાં મૃત–શરીરે બાફનાં કે ઉષ્ણ સ્પશનાં કારણ શી રીતે થઈ શકે ? તેનું સમાધાન આ પ્રમાણે છે-જેમ બળા ગએલા પાણુઓ ઉપર પાણી છાંટવાથી તેમાંથી બાર નીકળે છે તેમ આ ઠેકાણેથી પણ જે બાફ નીકળે છે તેનું કારણ ઠંડી છે. આ રીતે બીજે ઠેકાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy