________________
કોઈને કે જીવના શરીરે છે માટે પૃથિવીને પણ જીવ-શરીર કહેવામાં કઈ પ્રકારને બાધ નથી, વળી પૃથ્વીમાં રહેલું છેદાવાપણું વિગેરે ધર્મો નજરે જણાતા હોવાથી એળવી શકાય એવા પણ નથી. માટે એ જ ધર્મો વડે એની સચેતનતા સાબીત થઈ શકે છે. જે પૃથ્વીને કોઈ જાતનો આઘાત લાગ્યો નથી તે જીવવાળા છે અને જે પૃથ્વીને શસ્ત્ર વિગેરેનો આઘાત લાગેલો છે તે જીવ વિનાની છે. જેમ આપણે હાથ, પગ વગેરેનો સંઘાત સચેતન છે તેમ શસ્ત્ર વડે નહિ હણાએલી સંઘાતમા પૃથકી વિગેરે પણ સચેતન છે અને જેમ શસ્ત્ર વડે હણુએલા-શરીરથી જુદા પડી ગએલા–આપણું હાથ, પગ અચેતન છે તેમ શસ્ત્રથી હણાએલી પુથ્વી વિગેરે પણ અચેતન છે અર્થાત્ કયારેક કે પૃથ્વી સચેતન હોય છે અને ક્યારેક કે ઈ પૂરી અચેતન હોય છે. એ પ્રકારે શસ્ત્રથી ન હણાએલી પૃથ્વીને તથા પાણી વગેરેને સચેતન સાબીત કરવાની યુક્તિ છે.
હવે કદાચ એમ કહેવામાં આવે કે –
જેમ મૂત્ર, સચેતન નથી તેમ પાણી પણ સચેતન નથી, તે એ કથન ખોટું છે. ખરી રીતે તે જેમ કલલ–અવસ્થામાં તાજા ઉત્પન્ન થએલા હાથીનું શરીર પ્રવાહી છે અને ચેતનવાળું છે તેમ પાણી પગ ચેતનવાળું છે. અથવા જેમ ઘડામાં થએલું પક્ષિનું જલમય શરીર, જેને કોઈ ચાંચ વિગેરે ભાગ પ્રકટ નથી થશે એવું એ ચેતનાવાળું હોય છે તેમ પાણીને પણ ચેતનાવાળું સમજવાનું છે. એ જ હકીકતને વિશેષ ટેકો આપનારાં અનમાને આ પ્રમાણે છે – ૧. જેમ હસ્તિના શરીરનું મૂળ કારણ એ પ્રવાહી કલિ સચેતન છે તેમ શસ્ત્રથી આઘાતને નહિ પામેલું એવું પાણી પણ સચેતન છે. મૂત્ર તે શસ્ત્રથી આઘાત પામેલું હોવાથી સચેતન હોઈ શકતું નથી. ૨. જેમ ઇંડામાં રહેલું પ્રવાહી રસ સચેતન છે તેમ પ્રવાહી પાણી પણ સચેતન છે ૩. પાણીપ હોવાથી હિમ વિગેરે માંય કયાંય બીજા પાણીની પેઠે સચેતન છે. ૪. જેમ સ્વભાવ પેદા થતો દેડકે સચેતન છે તેમ જમીન ખેદતાં ખેદતાં સ્વાભાવિક રીતે નીકળતું પાણી સચેતન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org