SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો એવું થયું–જે તદ્દન અયુક્ત છે અને અનુભવ વિરૂદ્ધ છે. જે એ સાનું મત જ બરાબર હોય તે ખાનારે બીજો અને તૃપ્તિ પામનારે બીજે–એવું પણ પ્રતીત થવું જોઈએ—પણ એમ થતું ક્યાંય જતું નથી માટે સોનું પણ એ મત બરાબર નથી. અર્થાત્ સાંખ્યોએ પિતાને કદાગ્રહ મૂકી દઈને આત્માને ભેગવનારની પેઠે કરનાર પણ માનવો જોઈએ 'કેટલાક વાદિઓ એમ માને છે કે, આત્મા અને એમાં રહેલું ચિતન્યએ બન્ને તદ્દન જુદા જુદા છે. પણ માત્ર એક સમવાય નામના સંબંધને લીધે એ બન્નેનું જોડાણ થએલું છે અર્થાત આત્મા મૂળરુપે તે જડપ છે. તેઓનું આ કથન પણ તદ્દન ખોટું છે. કારણ કે, જે આત્માને ચેતનસ્પ સ્વભાવ ન હોય તે જેમ જડ એવું આકાશ કઈ ચીજતે જાણી કે ઓળખી શકતું નથી તેમ આત્મા પણ કઈ ચીજને શી રીતે જાણી કે ઓળખી શકે? કદાચ એમ કહેવામાં આવે છે, આત્મામાં ચૈતન્યને સમવાય હેવાથી એ પદાર્થ માત્રને જાણી શકે એમ છે. તો એ પણ ખોટું છે. કારણ કે, જે એ રીતે માનવામાં આવે તે ઘડામાં પણ ચૈતન્યનો સમવાય સંભવ હોવાથી ઘડે પણ આપણી પેઠે પદાર્થ માત્રને જાણકાર થવો જાઈએ. કારણ કે, સમવાય બધે ઠેકાણે રહેનારે નિત્ય અને એક હોવાથી ઘડામાં પણ એની હયાતી હેવી વ્યાજબી છે. જો કે, આ વિષે અહીં ઘણું કહેવાનું છે, તે પણ ગ્રંથગોરવ થાય, તે હેતુથી લખતા નથી. તાત્પર્ય એ કે, આત્મામાં જાણકારી શક્તિને માનનારા એ આત્માને સ્વભાવે કરીને ચૈતન્યપ જ માનવો જોઈએ—એને જડપ તે ન જ માનવો જોઈએ. આ પ્રકારે આત્માને લગતા આટલા વિશાળ લખાણથી આત્માની સાબીતી એક વજ્રલેખ જેવી અસાધ્ય થઈ ચૂકી છે માટે હવે કેઈની તાકાત નથી કે, ન્યાયપૂર્વક આત્માનો ઈન્કાર કરી શકે. આ કર્મવાળે આત્મા પાંચ પ્રકાર છે એકેદ્રિય-એક માત્ર સ્પર્શ ઇદ્રિયવાળો, બે ઇન્દ્રિય-બે-સ્પર્શ અને જીભ-દિયવાળે, ત્રણ ઈદ્રિય-ત્રણસ્પર્શ, જીભ અને નાક-ઇંદ્રિયવાળો, ચાર ઇંદ્રિય-ચાર-સ્પર્શ, જીભ, નાક અને આંખ–ઇવિયવાળે અને પદિય-પાંચ-સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન-ઇદ્રિયવાળો. આ પાંચ પ્રકારમાં ના છેલ્લા ચાર પ્રકારે તે સમજી શકાય એવા છે, કારણ કે, એ છેલ્લા ચારે માં, જીવ હોવાનાં નિશાનો સ્પષ્ટપણે જોઈ શકાય છે. પણ પાંચમ એટલે સિાથી પહેલો પ્રકાર–એકેયજીવને લગતે છે તે બરાબર સમજી શકાતું નથી. પૃથિવી, પાણુ, અગ્નિ, પવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy