________________
:
C
જણાતા નથી. અને ‘ આત્મા નથી ' એ વાક્યતે। જે આ ( · અમુક શરીરમાં આત્મા નથી ' ) ખરેશ અર્થ છે તે તો સૌ કાઇને સંમત છે. કારણ કે, મૃત શરીરમાં આત્મા હતેા નથી' એવું સૈા કાઇ એક સરખી રીતે સ્વીકારે છે. એથી હવે તેા કોઇ પણ પ્રકારે આત્માને નિષેધ થઇ શકે તેમ નથી. તથા આત્માની સાખીતી માટે આ કારનું એક બીજું અનુમાન પ્રમાણુ છેઃ —ઇંદ્રિયાવડે જોવાએલા દરેક પદાર્થોનું જ્ઞાન-સ્મરણ-ઇંદ્રિયાની હયાતી ન હેાય તે પણ રહ્યા કરે છે, માટે એમ સાબીત થઇ શકે છે. કે, એ જ્ઞાનને ધરાવનારે કાઇ પદાર્થ ઇંદ્રિયાથી જુદો જ હાવે જો એ અને જે એ જુદો પદાર્થ છે એ જ આત્મા છે. જેમ ગેાંખલા વાટે લેવાતા પદાર્થોનું સ્મરણ, જોનાર એવા દેવદત્તને રહે છે. તેમ ઇંદ્રિયેાવડે જોવાતા પદાર્થોનું સ્મરણ જોનાર એવા આત્માને રહે છે—ગાંખલાથી દેવદત્ત તદ્દન જુદા જણાય છે તેમ આત્મા પણુ ઇંદ્રિયાથી તદ્દન જુદા સ્વભાવવાળા છે —એ પ્રકારે આત્માની સાબીતી અનુમાનથી તેા ઘણી સારી રીતે થઇ શકે છે—આત્માની સાબીતી અનુમાનથી પૂરેપૂરી રીતે થતી રહેવાથી આગમશાસ્ત્ર—પ્રમાણુ, ઉપમાન–પ્રમાણ અને અર્થાપત્તિ-પ્રમાણથી પણ તેની સાબીતી થઇ શકે છે. કારણ કે, એ બધાં પ્રમાણેા અનુમાનના પેટામાં આવી જાય છે. વળી, તમે જે કહ્યું છે કે, જે પદાર્થ પાંચ પ્રમાણાથી ન ાણી શકાય તેની હયાતી હૈાઇ શકતી નથી એ પણ સરાસર ખોટું છે. કારણ કે, પિશાચાની હયાતી અને હિમાલયના પાણાના માપની હયાતી~એ બન્ને-કાઇ પણ પ્રમાણુથી જાણી શકાતી નથી—છતાં એ બન્નેની હયાતી તા માનવી પડે છે. વળી, આ આત્મા, પાંચ પ્રમાણેામાંના કાઇ પશુ પ્રમાણથી નથી જણાતા એમ પણ નથી.કારણ કે પ્રત્યક્ષ અને અનુમાન–એ બન્ને પ્રમાણેથી આત્માનું ભાન થઇ કે એવું છે, એ વિષે આગળ ઉપર સવિસ્તર લખાઇ ચૂકયું છે. આ આત્મા પરલેાકે જનારા પણુ છે એટલે એને કર્મના વશપણાને લીધે જન્માંતર પણ કરવાં પડે છે. તેની સે સમજી શકે એવી સાદી સાખીતી આ પ્રમાણે છેઃ—તાન જન્મેલા બાળકને કાઇની પ્રેરણા કે શિક્ષણુ વિના ધાવવાનું જે મન થાય છે તે એના પૂર્વાભ્યાસનું પરિણામ છે. ક્રાઇ પણ પ્રાણિને અભ્યાસ વિના ક્રિયા કરતાં આવડતું નથી—એ હકીકત સા કાઇ સમજે તેવી છે. માટે આ તાજું માળક જે અહીં વગર શીષ્યે જ ધનવાની ક્રિયા કરે છે તે, એના પૂર્વના અભ્યાસનું જ પરિણામ છે, એવી કલ્પના જરા પણ અયુક્ત નથી. અને એ કલ્પનાવડે જ આત્માનું પરલેાકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org