________________
શરૂઆત જણાય છે અને એને અમુક ઘાટ પણ જણાય છે માટે એનો પણ કઈ કર્તા હોવા જોઈએ, અને જે એને ર્તા કરે એ જ આત્મા છે. [ જે ચીજની હયાતીને પ્રારંભ–સમય જણાતું નથી અને જેને અમુક જ ઘાટ જણાતું નથી એવી ચીજનો કોઈ પણ કર્તા હેતે નથી–જેમ કે, વાદળાંને વિકાર–જેને કોઈ પણ કર્તા નથી. આપણું શરીર તે એવું નથી, માટે એને તે કર્તા જરૂર હોવો જોઈએ.]
૪. જેમ ચાકડે અને ચાકડાને ફેરવવાની લાકડી-એ બધાં સાધનો કેઈ એક ઉપરી હોય છે તેમ જ આ ઇક્રિયે, મન અને શરીરને પણ કઈ એક ઉપરી હોવો જોઈએ—અને જે ઉપરી છે એ જ આત્મા છે.
૫. જેમ તૈયાર થએલું પકવાન્ન ખાવા ગ્ય હોવાથી એને કઈ જમનાર ભેગવનાર-હોય છે તેમ આ શરીર પણ ભોગવવા ગ્ય હોવાથી એને કઈ ભોગવનાર જરૂર હોવો જોઈએ અને જે એને ભોગવનાર છે એ જ આત્મા છે.
હવે કદાચ એમ કહેવામાં આવે છે. ઉપર જણાવેલા પાંચે અનુમાન વિરુદ્ધ છે. કારણ કે, એ અનુમાન તો રથના હાંકનાર અને પકવાના ખાનારની પેઠે આત્માને પણ આકારવાળે–પી–સાબીત કરે તેવાં છે અને તમે તે આત્માને આકારવાળા નથી માનતા, તે પછી એ અનુમાનો વડે તમને ગમે તે આત્મા શી રીતે સાબીત થઈ શકશે ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે, અમે (આસ્તિકે) પણ શરીરના હંકારનાર અને ભોગવનાર આત્માને આકારવાળા એટલે રુપી માનીએ છીએ, કારણ કે,
એ સ્થિતિનો સંસારમાં રઝળતો આત્મા કર્મના અનંતાનંત અણુઓથી વિંટાએલો હોય છે માટે તે, એ અપેક્ષાએ તે આકારવાળા અને મૂર્તિમાન પણ હોય છે એથી ઉપર જણાવેલું એક પણ અનુમાન વિરૂદ્ધ નથી, કિંતુ તે બધાં ય પ્રામાણિક અને યુતિયુક્ત છે અર્થાત એ અનુમાન વડે કદાચ સંસારમાં ફરનારે આત્મા આકારવાળા કે સ્પવાળે સાબીત થાય તે પણ એમાં કશે વાંધો હોય, એમ અમે (આસ્તિક) નથી માનતા.
૬. જેમ ૨૫ વિગેરે ગુણે કોઈ આધાર વિના રહી શકતા નથી તેમ પજ્ઞાન, રસજ્ઞાન અને શબ્દજ્ઞાન વિગેરે ગુણો પણ કોઈ આધાર સિવાય રહી શકે નહિ અને જે એ ગુણોને આધાર છે એ જ આત્મા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org