________________
પ્રત્યક્ષ જ્ઞાન થતું હોય તે ગુણવાળે પોતે પણ પ્રત્યક્ષ જ હોય છે. સ્મરણ કરવું, જાણવાની ઈચ્છા રાખવી, ક્રિયા કરવાની ઈચ્છા રાખવી, જવાની ઈચ્છા રાખવી અને સંદેહ થો–એ વિગેરે આત્માના ગુણોને સિં કોઈ પ્રત્યક્ષપણે અનુભવી શકે છે, કારણ કે, એ ગુણને અનુભવ સિ કેઈને થતો હોવાથી એના પ્રત્યક્ષપણામાં કોઈના પણ બે મત હોઈ શકે નહિ. હવે જયારે એ બધા આત્માના ગુણોનું સિમ કોઈને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તો પછી એ ગુણોને આધાર એવો આત્મા કોને પ્રત્યક્ષપણે નહિ જણાત હોય ? માટે “આત્માનું જ્ઞાન પ્રત્યક્ષપણે થઈ શકે છે ”—આત્મા પ્રત્યક્ષ પ્રમાણથી જ સાબીત થઈ શકે છે'' ઇત્યાદિ હકીકતમાં કોઈ પ્રકારનું દૂષણ હોય એમ કળી શકાતું નથી. હવે કદાચ નાસ્તિકો તરફથી એમ કહેવામાં આવે છે, જેના ગુણનું પ્રત્યક્ષ જ્ઞાન થતું હોય તે ગુણવાળા પિને પણ પ્રત્યક્ષ જ હોય છે” એ જાતને નિયમ બધે ઠેકાણે લાગુ પડી શકે તેમ ન હોવાથી સાચે શી, રીતે મનાય ? કારણ કે, શબ્દ, એ આકાશનો ગુણ છે, તો શબ્દનું પ્રત્યક્ષજ્ઞાન કાન વડે થઈ શકે છે અને આકાશ તે કોઈ પણ ઇંદ્રિય દ્વારા પ્રત્યક્ષ થઈ શકતું નથી માટે ગુણ–પ્રત્યક્ષે ગુણ–પ્રત્યક્ષ” ના નિયમને તદન સાચે શી રીતે મનાય? પરંતુ નાસ્તિકનું આ કથન જે બેઠું છે અર્થાત શબ્દ, એ આકાશને ગુણ જ નથી, એ તો પરમાણુમય હેવ થી એક જાતનો જડ પુળ છે–આ વિષે અમે અજીવતત્ત્વની ચર્ચા કરતી વખતે વિગતવાર લખવાના છીએ. વળી, કદાચ એમ કહેવામાં આવે છે, આસ્તિકેએ જણાવેલ “ગુણ–પ્રત્યક્ષે ગુગી–પ્રત્યક્ષ” ને નિયમ કદાચ સાચો હોય તે પણ ભલે. અમે ( નાસ્તિકો) તો એમ કહીએ છીએ કે, જેમ રુપ વિગેરે ગુણે ઘડામાં દેખાતા હોવાથી એને આધાર ઘડો મનાય છે તેમ જ એ જ્ઞાન વિગેરે ગુણે શરીરમાં જ જણાતા હેવાથી એને (એ બધા ગુણોનો) આધાર પણ શરીર છે, એમ માનવું જોઈએ—અને એ જ માન્યતા યુકિતયુક્ત છે–વળી, એ જ જાતની માન્યતાને માનવાથી આસ્તિકોએ જણાવેલો “ગુણ–પ્રત્યક્ષે ગુણી–પ્રત્યક્ષ”ને નિયમ પણ બરાબર સાચવી શકાય છે. જો કે, નાસ્તિકોનું એ કથન સાંભળવામાં તે સુંદર દેખાય છે, કિંતુ વિચાર કરતાં માલૂમ પડે છે કે, એમને એક અક્ષર પણ ખરે જણાત નથી. સૌથી પહેલી વાત તે એ છે કે, જ્ઞાન વિગેરે ગુણોની સાથે શરીરને કોઈ પ્રકારનો સંબંધ જ ઘટી શકે તેમ નથી -જુઓ; શરીર તે રૂપી છે, આકારવાળું છે અને ઇથિી જાણી શકાય એવું છે ત્યારે જ્ઞાન વિગેરે ગુણે S, , , , 9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org