________________
વળી, કદાચ એમ કહેવામાં આવે છે, કાંઈ ભૂત માત્રથી જ શરીરનો આકાર થઈ જતો નથી, એમાં તો બીજા પણ કેટલાંક સહકારી કારની જરૂર છે, તે એ સહકારી કારણે બધે ન હોવાથી ચીજ ભાત્રમાં ચૈતન્ય ન જાય અને જ્યાં એ સહકારી કારણે હોય ત્યાં જ ચૈતન્ય જણાય છે. બનવા જોગ છે માટે તમે (આસ્તિકો) “બધે ય ચૈતન્યને પ્રાદુર્ભાવ. થે જઈએ” એ જાતનું દૂધણુ શી રીતે આપી શકે ? એ વિષે પણ આ એક પ્રશ્ન પૂછવાને છે કે, એ જે સહકારી કારણે છે તે બધાં શાનાં બનેલાં છે? એના ઉત્તરમાં તમારે (નાસ્તિકોએ) સ્પષ્ટ કહેવું પડશે કે, એ સહકારી કારણે પણ ભૂતનાં જ બનેલાં છે. કારણ કે, તમે ભૂત સિવાય બીજો કોઈ જુદો પદાર્થ માનતા જ નથી. તો પછી બધે ભૂતે રહેલાં છે માટે સહકારી કારણે પણ બધે ય હોવા જોઈએ અને તેને જ લઈને ચીજ માત્રમાં ચૈતન્યનો પ્રાદુર્ભાવ થવો જોઈએ, એ જાતનું અમારું કથન ખોટું થઈ શકતું નથી. જે કદાચ નાસ્તિકો એમ કહે કે, ભૂતો જે શરીરનો આકાર ધારણ કરે છે તેમાં કાંઈ એકલાં ભૂત જ કારણ નથી, પણ બીજું કાંઈ છે તે એ પણ એમનું કથન બરાબર નથી. કારણ કે, ભૂતોથી જુદું બીજું કાંઈ સંસારમાં છે એમ નાસ્તિકે માનતા જ નથી– તે છતાં જે તેઓ કોઈ બીજી ચીજ, જે ભૂતથી જુદી રહે છે તેને કારણરૂપે માને તો તેઓના જ મુખથી આત્માની સાબીતી થઈ શકે છે, કારણ કે, જે કાંઈ ભૂતોથી જુદી ચીજ છે એનું જ નામ આત્મા છે. માટે
બીજું કાંઈ કારણ છે ” એમ કહેવું પણ દૂષણવાળું જણાય છે. હવે જે એમ કહેવામાં આવે કે, ભૂતો જે શરીરનો આકાર ધારણ કરે છે, તેનું કાંઈ કારણ જ નથી. તો એ કથન પણ ગેરવ્યાજબી છે. કારણ કે, કારણું સિવાય કાંઈ બની શકતું નથી. બીજું, જે ક્રિયા કાંઈ કારણ વિના જ થતી હોય તે તે કાંતે રેજ થયા જ કરવી જોઈએ અથવા તદન ન જ થવી. જોઈએ. આ દલીલથી એમ જણાઈ આવે છે કે, નાસ્તિકોએ માનેલે “ભૂત શરીરના આકારને ધારણ કરે છે અને એમાંથી જ ચૈતન્ય પેદા થાય છે ? એ જાતને સિદ્ધાંત કદી પણ સાચો ઠરી શકતો નથી. તે પછી પ્રાણવાયુ, અને અપાનવાયુની વાત જ કરવાની ક્યાં રહી? માટે ચૈતન્ય, એ ભૂતને ગુણ નથી, તેમ એ, ભૂતોથી ઉત્પન્ન થતું નથી. કિંતુ એ તે આત્માને ગુણ છે અને આત્મામાં જ રહે છે, એ જાતની માન્યતા પ્રમાણવાળી અને દૂષણ વિનાની છે. વળી, આ એક સાધારણ નિયમ છે કે, જેના ગુણનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org