________________
પહેલાં એ નગરમાં બન્ને રીતે “જિતારિ' એટલે નામે અને ગુણે કરીને “જિતારિ” રાજા રાજ્ય કરતા હતા એ રાજા રામની પેઠે પ્રજાવત્સલ, યુધિષ્ઠિરની પેઠે નીતિવત્સલ, અશેકની પેઠે દયાવત્સલ અને અર્જુનની પેઠે રણુવત્સલ હતા, એથી જ એની પ્રજાએ પણ “ચથા રાજા તથા પ્રજ્ઞા” ની ઉક્તિ ચરિતાર્થ કરી હતી અર્થાત્ પ્રજા પણ પ્રજાવત્સલ, નીતિવત્સલ, દયાવત્સલ અને રણવત્સલ હતી. “જાતિ નામૃતમ્” ના ન્યાયે એ પ્રજા ધનવાન પણ હતી. એ રાજા પાસે જે પુરોહિત હતા તે જ મહાશય આપણું આ ઉલ્લેખના પણ પુરોહિત છે.–શ્રીહરિભદ્ર જાતે બ્રાહ્મણ અને કમેં પુરહિત હતા. વિવાદેવી બ્રહ્મતેજને વરેલાં હોવાથી શ્રીહરિભદ્રજી પણ ચાદે વિદ્યાના જાણ હતા અને એક સમર્થ રાજાના પુરેહિત પદે બિરાજેલા હોવાથી રાજમાન્ય અને લોકમાન્ય પણ હતા. જે સમયે બહ્મણની વાસ્તવિક ઉચ્ચતા હતી ત્યારે તે તેઓ નિરભિમાની અને નિઃસ્પૃહ હતા, પણ
જ્યારે તેઓનું બ્રહ્મતેજ અસ્ત થતાં જ એ ઉચ્ચતા પણ આથમી ગઈ ત્યારે તે તેઓ વિશેષ અભિમાની–મિથ્યાભિમાની બન્યા અને પોતે ઈશ્વરંમન્ય થઈ બેઠા. શ્રીહરિભદ્રજીએ પણ અહંવૃત્તિને પિષનારી પિતાની એ કુલપરંપરાને જાળવી રાખી હતી. જાતે બ્રાહ્મણ, ચારે વિદ્યાના જાણ, પ્રખર વૈયાકરણ, ઉત્કટ તૈયાયિક અને વળી જમાન્ય પુરહિત હોવાથી તેઓની એ અહંવૃત્તિમાં શી ખામી રહે ? શ્રીહરિભદ્ર વિપ્રને ખાત્રી હતી કે, આ છ ખંડ ધરતીમાં મારા જેવો-અરે મારા શિષ્ય જેવો પાણુ કાઇ પંડિત હોય એ સંભવતું નથી. ચારણોએ કરેલા જૂના રાસાઓમાં સંભળાય છે કે, કેટલાક
બલાભિમાની શુરવીર રાજાઓ પોતાની સાથે અસ્ત્ર શ રાખવા ઉપરાંત એક નીસરણી, એક કોદાળ અને એક જાળ પણ રાખતા, કે જેથી શત્રને આકાશમાંથી પણ પકડી શકાય, જમીનમાંથી પણ ખેદી શકાય અને ઉંડા પાણીમાંથી પણ ગની શકાય. એ જ પ્રકારે અને એ જ વૃત્તિથી સર્વમાન્ય આ હરિભદ્ર ભૂદેવે પણ એ જાતનાં ત્રણે નિશાનો રાખ્યાં હતાં. એ ઉપરાંત પિતાની જે સમસ્ત જબૂદીપમાં કોઈ નથી જ' એવું જણાવવા માટે જ તેઓ પિતાના હાથમાં એક જ ખૂલતા પણ રાખતા હતા. વળી, “આટલું” બધુ-સંસારમાં કોઈ ન ભણે એટલું ભણવાથી કદાચ મારું પેટ ન ફાટે–એવી લોકોમાં પિતાની–અપૂર્વ પ્રતિષ્ઠા પ્રસરાવવાના જ હેતુથી તેઓ પિતાના પેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org