________________
કરે છે. કારણ કે, મુડદાના શરીરમાં ચૈતન્ય જણાતું નથી. જે શરીર હોય ત્યાં જ ચૈતન્ય રહેતું હોય તે એ, મૃત–શરીરમાં પણ જણાવું જોઈએ. વળી, કદાચ એ દૂષણને દૂર કરવા માટે એમ કહેવામાં આવે કે, અમે તો એમ માનીએ છીએ કે, પૃથિવી, પાણી, તેજ અને વાયુ-–એ ચારે ભૂતના સમુદાયથી જ ચૈતન્યની પેદાશ થાય છે અને મુડદાના શરીરમાં વાયુ નથી એટલે એમાં એક ભૂત ઓછું હોવાથી કદાચ ચૈતન્ય ન જણાતું હોય એથી કરીને અમે ઉપર જણાવેલ ચાર ભૂતના સમુદાયથી જ ચૈતન્ય પેદા થાય છે એ જાતનો નિયમ જરા પણ ખોટે કરી શકતું નથી. નાસ્તિકોની એ દલીલ પણ બરાબર નથી. કારણ કે, મુડદાના શરીરમાં પિલાણ હોવાથી અને મુદ્દે ફુલી જતું હોવાથી તેમાં વાયુ નથી એમ કેણ કહી શકે? વળી, તેમાં (મુડદાના શરીરમાં) ચામડાની ધમણ વડે પણ વાયુ ભરી રાકાય છે અને એ રીતે પણ તેમાં ઓછું રહેલું વાયુતત્ત્વ પૂરું કરી શકાય છે. હવે જે ફકત એક વાયુ ન હોવાથી મુડદામાં ચિતન્ય ન જણાતું હોય તો તે, એમાં વાયુ આવ્યથી જણાવું જોઈએ અને વાયુ આવ્યેથી મુડદાના શરીરે પણ જીવંત શરીરની પેઠે જ ક્રિયા કરવા મંડી જવી જોઈએ. કિકત આવી હકીકત હજુ સુધી કોઈએ જોઈ નથી, જાણી નથી તેમ સાંભળી પણ નથી એથી “મુડદાના શરીરમાં વાયુ નથી માટે જ એમાં ચૈતન્ય નથી,” એવું હળાહળ ખેટું શી રીતે કહી શકાય? કદાચ એમ કહેવામાં આવે કે, માત્ર વાયુ ભરાયાથી જ મુડદાના શરીરમાં ચૈતન્ય નથી જણાતું, તેનું તો બીજું પણ કારણ છે અને તે એ છે કે, જ્યાં સુધી મુદાના શરીરમાં પ્રાણવાયુ અને અપાનવાયુને સંચાર ન થાય ત્યાં સુધી તેમાં એકલે વાયુ ભરાયાથી ચૈતન્ય ન આવી શકે અર્થાત મુડદાના શરીરમાં ચૈતન્ય નથી જણાતું તેનું કારણ તેમાં પ્રાણવાયુ અને અપાનવાયુની ખામી જ છે. તે એ કહેવું પણ તદન ખોટું છે. કારણ કે, કોઈ એવો નિયમ નથી કે, જ્યાં જ્યાં પ્રાણવાયુ અને અપાનવાયુ હોય ત્યાં ત્યાં જ ચૈતન્ય જણાય અને જ્યાં જ્યાં એ બન્ને વાયું ન હોય ત્યાં ત્યાં ચિતન્ય પણ ન જણાય. જે એવો નિયમ હોત તે મરણ પથારીએ પડેલો માણસ જ્યારે ઘણા શ્વાસ લે છે અને મૂકે છે તે વખતે તેનામાં ચૈતન્યને વધારે જણવો જોઈએ અને સમાધિમાં રહેલો જોગી, જે શ્વાસોને તદન લે કે મૂકતા નથી તેમાં તે ઠામુકું ચેતન્ય ન રહેવું જોઈએ. પરંતુ એમાં તે એમ જણાતું નથી, ઉલટું અધિક શ્વાસ લેનારમાં ચિતન્ય નાશ થતે જણાય છે અને વદન શ્વાસને રોકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org