SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શકે છે. અહીં તે જેમ આત્મા નજરે જણાતી નથી તેમ તેની જે બીજે પણ કઈ પદાર્થ નજરમાં આવતું નથી તેથી ઉપમાન પ્રમાણ પણું આત્માને નિર્ણય કરી શકતું નથી. કદાચ એમ કહેવામાં આવે કે, કાળ, આકાશ અને દિશા વિગેરે પદાર્થો જીવની સરખા છે. માટે તે વડે આત્માની અટકળ કાઢી શકાય ખરી. પરંતુ તે કથન બરાબર નથી. કારણ કે, તે બધા પદાર્થો હજી વિવાદવાળા જ છે માટે એવા ઠેકાણું વિનાના પદાર્થોના એકાથી આભાની સાબીતી શી રીતે થાય ? વળી, એ કોઈ ગુણ કે ક્રિયા જોઈ નથી તેમ સાંભળી પણ નથી, જે આત્મા વિના હોઈ શકે જ નહિ અર્થાત જે આત્મા વિના નહિ રહી શકનારો ગુણુ કે ક્રિયા મળી શકી હોત તે તે વડે જ આત્માની એકસાઈ થઈ શકત, પરંતુ એવું તે કાંઈ. મળતું નથી તેથી આમાની વિધમાનતા શી રીતે મનાય? એ પ્રકારે કોઇ પણ પ્રમાણે, દલીલ કે અકળવડે આત્માની સિદ્ધિ થઇ શકતી નથી માટે એવો તદ્દન નહિ જણાતે આત્મા શી રીતે મનાય ? એ પ્રકારે આત્માને નહિ માનનાર નાસ્તિકોની એ જાતની યુક્તિ અને પ્રમાણે કહ્યાં છે. ' ' . હદે આત્માને માનનારા આસ્તિકો એ યુક્તિઓનું ખંડન આ પ્રમાણે ઉપરના લખાણમાં આત્માને વદન નિષેધ કરતાં એમ જણાવ્યું હતું કે, “જગતમાં કાઈ આત્મા જેવી ચીજ નથી, જે કાંઈ આ જણાય, છે તે બધી પાંચ ભૂતની જ રમત છે આ દેખાતું શરીરમ્ભ પુતળું , પાંચ ભૂતનું બનેલું છે અને ચૈતન્ય પણે એમાંથી જ બનેલું છે” ઇત્યાદિ. એ બધી હકીકત બરાબર નથી. કારણ કે, આત્માની સાબીતી તે પ્રત્યક્ષ પ્રમાણથી જ થઈ શકે છે, જેમ કે; “ હું સુખને અનુભવું છું” એ જાતનું જ્ઞાન પ્રાણી માત્રને થાય છે અને એ જ જ્ઞાનવડે આત્માની પ્રતીતિ થઈ શકે છે. કદાચ એમ કહેવામાં આવે છે, એ પ્રકારનો ખ્યાલ શરીરને જ થાય છે માટે એ વડે આત્માની પ્રતીતિ શી રીતે થાય ? તે કહેવાનું કે, એ ખ્યાલ' શરીરને થતું નથી. કારણ કે, એ ખ્યાલમાં તે સ્પષ્ટપણે આંતરિક ક્રિયા જણાઈ આવે છે. જે વખતે બધી ઈડિયે પિતપેતાની પ્રવૃત્તિથી વિરામ પામેલી હોય છે અને શરીર અચેષ્ટ થઈને પડયું હોય છે તે વખતે પણ હું સુખી છું? એવો ખ્યાલ રહ્યા કરે છે માટે એ ભૂલ શરીરને થતો હોય એ સંભવિત જ નથી, તેથી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy