SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ નક્કી કરવું જોઇએ અર્થાત અનુમાન કરનારે મનુષ્ય સાથી પહેલાં અનેક સ્થળેને જુએ છે અને એ પ્રત્યેક સ્થળને એટલે રસોડું, કંદોઈની દુકાન, ભઠીયારાની દુકાન, ભભુંજાની દુકાન અને યજ્ઞને કંડ વિગેરે સ્થળને જોઈને અગ્નિ અને ધુમાડાના સહચરપણને બરાબર નક્કી કરે છે અને એ ઉપરથી તે એવું એક ધોરણ બાંધે છે કે, જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં બધે ઠેકાણે અગ્નિ હોય જ. આ પ્રકારે નક્કી કર્યા પછી હવે તે કોઈ પણ જગ્યાએ ધમાડો જોતાં જ ત્યાં અગ્નિ હોવાનું પણ અનુમાન કરી લે છે. આ પ્રકારને અનુમાન કરવાનો ક્રમ આત્મામાં ઘટી શકતો નથી. કારણ કે, એ પિતે. (આત્મા) જ નજરે જોઈ શકાતું નથી, તેમ તેનું કોઇ નિશાન પણ નજરે જોઈ શકાતું નથી–એ રીતે જ્યાં પ્રત્યક્ષ પ્રમાણુની પ્રવૃત્તિ થઈ શકતી જ નથી ત્યાં અનુમાન પ્રમાણની પ્રવૃત્તિ શી રીતે થાય? આ વાત તે સિં કોઈ જાણે છે કે, અનુમાનની પ્રવૃત્તિ પ્રત્યક્ષને પરવશ છે. વળી, જે પ્રત્યક્ષથી જ આત્માની સાબીતી થઈ શકતી હોય તે અનુમાનની જરૂર શા માટે રહે? માટે કોઈ પ્રકારે જીવ પત્તો લાગી શકતો નથી. વળી, આ જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે માટે સૂર્ય પણ મનુષ્યની પેઠે ગતિવાળો હોવો જોઈએ, એ જાતના અનુમાનવડે પણ આત્માની સાબીતી થઈ શક્તી નથી. કારણ કે, મનુષ્યનું આ જગ્યાએથી બીજી જગ્યાએ જવું—આપણે સૈ નજરે જોઈ શકીએ છીએ અને એ જેવા વડે જ—એ હેતુથી સૂર્યમાં પણ ગતિ હેવી જોઈએ—એવું અનુમાન કરી શકીએ છીએ. પરંતુ આત્માના સંબંધમાં તે એવું કાંઈ નજરે જોવાતું નથી અને એવો કોઈ ગુણ કે ક્રિયા પણ નજરે જણાતી નથી કે, જે આત્મા વિના ન રહી શકતી હોય કે ન થઈ શકતી હોય અર્થાત ઉપર જણાવેલાં અનુમાન વડે આત્મા વિષે કોઈ ચોક્કસ કહી શકાય તેમ નથી. * તથા શાસ્ત્ર પ્રમાણુવડે પણ આત્માની સાબીતી થઈ શકતી નથી. કારણ કે, એક પણ શાસ્ત્ર એવું નથી કે જેમાં વિવાદ ન હોય, તેમ એ કોઈ વિવાદ વિનાને શાસ્ત્રકાર પણ નથી કે, જેણે આત્માને પ્રત્યક્ષ જોએલે હાય. વળી, જે જે લાભ મળે છે તે બધાં પરસ્પર વિરેધવાળાં છે માટે તેમાં કોને સાચું માનવું અને કોને ખોટું માનવું?–અર્થાત આગમ પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. * ઉપમાન પ્રમાણુવડે પણ આત્માને કળી શકાતો નથી. કારણ કે, તે પ્રમાણ તે એક બીજાની સરખાઈને નજરે જોઇને કેઈ પણ જાતને નિર્ણય ઘડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy