________________
આત્મવાદ. અહીં હવે જે ચાકમતવાળાઓ આત્માને માનતા નથી, તેઓ પિતાને મત આ પ્રમાણે જણાવે છે –
જગતમાં કોઈ આભા જેવી ચીજ નથી જે કાંઈ આ જણાય છે તે બધી પાંચ ભુતની જ રમત છે–આ દેખાતું શરીરુપ પુતળુ પાંચ. ભૂતનું બનેલું છે અને ચૈતન્ય પણ એમાંથી જ બનેલું છે માટે એ ભૂતેથી જુદે અને પુનર્જન્મને પામનારે એ કઈ આત્મા હોય એમ માનવાને કાંઈ કારણ નથી અને એ માન્યતામાં કાંઈ પ્રમાણ પણ જણાતું નથી –પ્રત્યક્ષ પ્રમાણ તો ઇંદ્રિય વડે જણાતી ચીજોને જ જાણી શકે છે માટે એ વડે આત્માની ક્યાતી જાણી શકાતી નથી. કારણ કે, આત્મા નો ઇકિવડે કળી શકાતા નથી. વળી, જે એમ કહેવામાં આવે કે, “હું ઘડાને જાણું છું એવા ખ્યાલથી જાણકાર તરીકે આત્માને શરીરથી જુદે કલ્પી શકાય ખરે, પણ એ વા બરાબર નથી. કારણ કે, એ જાતના ખ્યાલમાં જાણકાર તરીકે આત્માને કરવા કરતાં નજરે જણાતા શરીરને શા માટે ન મૂકી શકાય ? અર્થાત્ શરીરને જ જાણનાર તરીકે શા માટે ન માની શકાય ? જેમ હું જ છું” “પાત છું” એ જાતના ખ્યાલમાં આપણે આત્માને ન મૂકતાં શરીરને જ મૂકીએ છીએ તેમ “હું જાણું છું’ એ જાતના
અલમાં પણ નાંહે જણાતા આત્માને કટપવા કરતાં નજરો નજર જણાતા શરીરને જાણકાર તરીકે અધિકાર શા માટે ન અપાય ? માટે “હું ઘડાને જાણું છું” એ જાતને ખ્યાલ, કાંઈ આત્માની હયાતીને સાબીત કરી શકતો નથી. જે કરો એમ કહેવામાં આવે છે, શરીર તો જડ છે માટે એને જ્ઞાન શી રીતે થઈ શકે ? તે એ કાંઈ બરાબર નથી. કાજી કે, શરીર ભલે જડ રહ્યું, પણ એને ચૈતન્યને સંબો થવાથી એ બધું જાણી શકે છે અને અનુભવી શકે છે માટે શરીરને ઝાન થવામાં કોઈ જાતને વાંધો આવે તેમ નથી. તથા શરીરને જે ચેતન્યને સંબંધ થાય છે તે ચૈતન્યને શરીરે જ બનાવેલું છે માટે એ ચૈતન્ય વડે પણ જીવની સાબીતી થઈ શકે તેમ નથી. કારણ કે તન્ય, શરીર હોય ત્યારે જ (શરીરમાં) જણાય છે અને શરીર ન જાય ત્યારે નથી જણાતું એથી એને વિશેષ સંબંધ શરીરની જ સાથે હેય એમ એનું જણાય છે અને એથી જ એ ચૈતન્યને શરીરે બનાવેલું છે એમ પણ સાબીત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org