________________
(વિગેરે), એ પ્રમાણે જીવની સાથે જ્ઞાન અને સુખ વિગેરેને જે એકપણને આભાસ થાય છે તે શી રીતે થશે? આ જાતને અનુભવ તે પ્રાણી માત્રને થાય છે માટે એમાં કોઈ જાતને વિવાદ હોઈ શકે નહિ. વળી જે એ બધા ધર્મોની સાથે જીવને તદ્દન એક જ માનવામાં આવે છે, “આ ધર્મ (ગુણ) વાળે છે, અને આ એના ધર્મો છે” એ જાતની જુદી જુદી બુદ્ધિ પણ શી રીતે થશે? વળી, જીવ અને એના ગુણો કે ધર્મો વચ્ચે જે તદ્દન અભેદ જ માનવામાં આવે તે જીવ અને ગુણે એમ બે વાત ટકી શકે જ નહિ.--કિંતુ કાં તે એકલે જીવ જ ટકે વા એના ગુણે જ ટકે એમ થવાને લીધે “મારું જ્ઞાન, મારું દર્શન ”—વિગેરે જે ગુણેને ખ્યાલ તદ્દન જુદે આવે છે તે શી રીતે આવી શકે ? એ જાતને વદન જુદો ખ્યાલ પણ સો કેઈને આવે છે. માટે જ્ઞાન, દર્શન અને સુખ વિગેરે ધર્મોથી જીવને જુદો પણ માનવો જોઈએ અને એક પણ માનવો જોઈએ કિંતુ જે વૈશેષિક મતવાળાઓ ધર્મ અને ધમાં વચ્ચે એકલી જુદાઈને જ માને છે અને બદ્ધમતવાળાઓ ધર્મ અને ધર્મ વચ્ચે એકલા અભેદને જ ગણે છે તે બન્નેનું માનવું બરાબર વ્યાજબી જણાતું નથી. વળી, આત્માને કર્મવશે કરીને અનેક ગતિઓમાં ભમવું પડે છે અને અનેક શરીરને ધારણ કરવાં પડે છે માટે આત્મા પરિણમી (પરિણામ પામનારે) નિત્ય છે એમ માનવું ઘટે છે. કિંતુ જે ચાર્વાકમતવાળાઓ એને નિત્ય જ માનતા નથી અને નૈયાયિકમતવાળાઓ એને અપરિણામી નિત્ય એટલે જેમાં કશો ફેરફાર થઈ શકે નહિ એ-જે માને છે તે પણ યુક્તિયુક્ત જણાતું નથી. વળી, આત્મા સારા અને નઠારાં કર્મોનો કરનાર છે તથા પિતે કરેલાં કર્મ-ફળાને મુખ્યપણે ભોગવનારે પણ એ જ છે –એથી આત્મા કર્તા પણ છે અને ભક્તા પણું છે-એમ માનવું આવશ્યક છે. કિંતુ જે સંખ્યમતવાળાઓ એને (આત્માને) અર્જા માને છે અને ગણપણે ભક્તા માને છે તે કાંઇ વ્યાજબી જણાતું નથી. વળી, આત્માનું મુખ્ય નિશાન ચેતન્ય એટલે જ્ઞાન છે—અને એ બે પ્રકારનું છે–સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાન. અર્થાત, અભા ચૈતન્યસ્વરૂપ છે. કિંતુ જે નૈયાયિકમતવાળા આત્માને ચૈતન્યસ્વરુપ નથી માનતા તે તે ગેરવ્યાજબી લાગે છે. આ પ્રકારે જૈનદર્શનમાં જીવનું વરુપ કહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org