________________
પ૧
વર્ષનું આયુષ્ય હોવાથી એના શરીરને એટલે વખત ટકાવી રાખવા માટે જેમ આયુષ્યકર્મ કારણ છે તેમ એ જ હેતુથી એને જમવાની પણ જરૂર માનવાની છે. તથા કેવળને તૈજસ શરીર, જે આહારને પચાવવામાં મુખ્ય સાધનભૂત છે તે હેવાથી ભુખ લાગે જ એમાં કાંઈ સંદેહ જેવું નથી. એ પ્રકારે આહાર કરવાનાં બધાં કારણે કેવળિને લાગુ પડતાં હોવાથી કોઈ પણ રીતે તેનું નિરાહારિપણું સાબીત થઈ શકતું નથી.
વળી, જ્ઞાનાવરણનો નાશ થયે ભુખને પણ નાશ થાય અને જ્ઞાનાવરણની હયાતીમાં જ ભુખ લાગે–એ પણ કોઈ જાતનો નિયમ નથી. એ નિયમ જ હોય તો મનુષ્યમાત્રને ભુખ જ ન લાગવી જોઈએ. કારણ કે, તેઓનાં જ્ઞાનાવરણને નાશ રેજ થયા જ કરે છે.
તથા કવલાહાર અને કેવલજ્ઞાન એ બે વચ્ચે કોઈ જાતને જરા પણ વિરોધ ન હોવાથી કેવળજ્ઞાની જેમ સુખ ભેગવી શકે છે તેમ આહારને પણ લઈ શકે છે. એ પ્રકારે પુર દલીલ અને પ્રમાણેથી કેવળજ્ઞાનિને જમવાની રીતસર સાબીતી થઈ શકે છે માટે જ અમે કેવળજ્ઞાનિને નિરાહારી ન માનતા આહારવાળે માનીએ છીએ અને તમને પણ ભલામણ કરીએ છીએ કે, તમારે તેને ભૂખે ન માનતાં આહારવાળે જ માનવે એ પ્રકારે જેનમતમાં દેવનું સ્વરૂપ પૂરું થાય છે.
નવત. હવે જૈનધર્મમાં તેની વિગત આ પ્રમાણે છે:– તે મતમાં નવ તો છે, તે આ પ્રમાણે –
જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિરા અને મોક્ષ, ૪૭..
ચેતના એટલે ચેતવું–અનુભવવું એ જીવનું નિશાન છે. અજીવ, જીવથી તદન વિરૂદ્ધ છે એટલે એ, ચેતન વિનાને છે. અજીવન પાંચ પ્રકાર છે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, કાળ અને પુગલાસ્તિકાય. આ બે–જીવ અને અજીવ–નવમાં જ જગતના બધા ભા. આવીને સમાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org