SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ વર્ષનું આયુષ્ય હોવાથી એના શરીરને એટલે વખત ટકાવી રાખવા માટે જેમ આયુષ્યકર્મ કારણ છે તેમ એ જ હેતુથી એને જમવાની પણ જરૂર માનવાની છે. તથા કેવળને તૈજસ શરીર, જે આહારને પચાવવામાં મુખ્ય સાધનભૂત છે તે હેવાથી ભુખ લાગે જ એમાં કાંઈ સંદેહ જેવું નથી. એ પ્રકારે આહાર કરવાનાં બધાં કારણે કેવળિને લાગુ પડતાં હોવાથી કોઈ પણ રીતે તેનું નિરાહારિપણું સાબીત થઈ શકતું નથી. વળી, જ્ઞાનાવરણનો નાશ થયે ભુખને પણ નાશ થાય અને જ્ઞાનાવરણની હયાતીમાં જ ભુખ લાગે–એ પણ કોઈ જાતનો નિયમ નથી. એ નિયમ જ હોય તો મનુષ્યમાત્રને ભુખ જ ન લાગવી જોઈએ. કારણ કે, તેઓનાં જ્ઞાનાવરણને નાશ રેજ થયા જ કરે છે. તથા કવલાહાર અને કેવલજ્ઞાન એ બે વચ્ચે કોઈ જાતને જરા પણ વિરોધ ન હોવાથી કેવળજ્ઞાની જેમ સુખ ભેગવી શકે છે તેમ આહારને પણ લઈ શકે છે. એ પ્રકારે પુર દલીલ અને પ્રમાણેથી કેવળજ્ઞાનિને જમવાની રીતસર સાબીતી થઈ શકે છે માટે જ અમે કેવળજ્ઞાનિને નિરાહારી ન માનતા આહારવાળે માનીએ છીએ અને તમને પણ ભલામણ કરીએ છીએ કે, તમારે તેને ભૂખે ન માનતાં આહારવાળે જ માનવે એ પ્રકારે જેનમતમાં દેવનું સ્વરૂપ પૂરું થાય છે. નવત. હવે જૈનધર્મમાં તેની વિગત આ પ્રમાણે છે:– તે મતમાં નવ તો છે, તે આ પ્રમાણે – જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિરા અને મોક્ષ, ૪૭.. ચેતના એટલે ચેતવું–અનુભવવું એ જીવનું નિશાન છે. અજીવ, જીવથી તદન વિરૂદ્ધ છે એટલે એ, ચેતન વિનાને છે. અજીવન પાંચ પ્રકાર છે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, કાળ અને પુગલાસ્તિકાય. આ બે–જીવ અને અજીવ–નવમાં જ જગતના બધા ભા. આવીને સમાઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy