________________
૫
જે શાસ્ત્રને આપ અને અમે બન્ને એક સરખી રીતે માનીએ છીએ તેમાં પણ કેવળજ્ઞાનિને જમવાની વાત જણાવી છે. જુઓ - તત્ત્વાર્થસૂત્રના નવમા અધ્યાયમાં “garશે નિ” (૨) એ સુત્રવડે જણાવ્યું છે કે, કેવળજ્ઞાનિને અગ્યાર પરિષહ હોય છે, જેમાં ૧ લે ભુખને બીજે વરને, એમ ક્રમે કરીને ટાઢને, તાપનો કેસનો, મછરનો, ચર્યાને, પથારીને, વધન, રાગને અને તૃણના સ્પર્શને. કારણ કે એને (કેવળજ્ઞાનિને ) એ પરિવહન કારણભૂત વેદનીય કર્મનો ઉદય હોવાથી એ પરિષહેને સંભવ છે. તે આ સૂત્રવડે પણ એમ સાબીત થઈ શકે છે કે, કેવળિને ભુખ પણ લાગે છે. માટે આપણે આ ઉપરથી એમ તે ચોકખી રીતે જાણું શકીએ છીએ કે, કેવળિને ભૂખ લાગવાથી પીડા તે થાય છે, પણ તે અનંતવીર્યવાળે હોવાથી આપણી પડે કચવાત નથી, તેમ વિલ પણ થતું નથી. અને તેને હવે કાંઈ પણ કરવું બાકી ન હેવાથી વિના કારણે તે, ભુખને સહ નથી. પણ ભુખને સહન કરવી એ એક જાતનું તપ છે, પરંતુ કેવળજ્ઞાન થયા પછી તે કરવાની જરૂર ન હોવાથી એ કેવળી એવા કોઈ જાતના તપને કરતે નથીઅર્થાત કેવળિને હવે ભુખ્યા રહેવાનું કોઈ પણ કારણ રહેલું નથી. વળી એ બાબતને વધુ ચેકસ કરવા માટે કેટલાંક અનુમાન પણ થઈ શકે છે અને તે આ પ્રમાણે છે –
કેવળજ્ઞાનિનું શરીર આપણું શરીરની જેવું છે માટે એ શરીરમાં ભુખ્યા રહેવાથી જે પીડા આપણને થાય છે, તે એને પણ થાય એમાં કાંઈ નવાઈ નથી. માટે કેવળજ્ઞાનિને પણ આપણી પેઠે જમવાની જરૂર છે, કદાચ તમે અહીં એમ કહે કે, કેવળજ્ઞનિનું શરીર તો આપણું શરીર જેવું નથી. કારણ કે, એ શરીર તે સ્વભાવથી જ પરસેવા અને દુર્ગધથી રહિત હોય છે ત્યારે આપણું શરીર પરસેવાવાળું અને દુર્ગંધવાળું પણ હોય છે માટે એ, આપણા શરીર જેવું ન હોવાથી એને જમવાની જરૂર હોઈ શકે નહિ. તો ભાઈ, તમારું એ કથન તદન ખોટું છે. કારણ કે, કેવળજ્ઞાન થયા પહેલાં પણ એ કેવળનું શરીર પરસેવા વિનાનું હોય છે છતાં તેને તમે પણું જમવાની જરૂર માને છે માટે આપ એ દલીલથી કેવળિને ભૂખ્યા રાખી શકો તેમ નથી. વળી, કોઈ કેવળિનું લાખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org