________________
૪૬
૩–૪. જતાં આવતાં સાવધાનતા રાખવી અને સંયમનું પાલન
કરવું—એ પણ કાંઈ આહાર લેવાનાં કારણે નથી. કારણ કે, કેવળજ્ઞાની પિતાના કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે જ જતાં આવતાં સાવધાનતા રાખીને પૂર્ણ અહિંસા સાચવી શકે છે અને એનું ચારિત્ર પણ જેવું શાસ્ત્રમાં કહ્યું છે તેવું જ ઉચું (યથાખ્યાત) હેવાથી એ, એને માત્ર પોતાના અનંતવિર્યથી આહાર લીધા સિવાય જ પાળી શકે છે માટે એને
કેવળજ્ઞાનને) સાવધાનતા રાખવા માટે કે સંયમનું પાલન
કરવા માટે પણ આહાર લેવાની જરૂર જણાતી નથી.. પ. એના જીવનના નિર્વાહ માટે પણ એને આહાર કરવો જરૂરી
નથી. કારણ કે, એનું આયુષ્ય કઈ પણ પ્રકારે કુટયું તુટે તેમ નથી અથાત ગમે તેવી મેટામાં મોટી આપત્તિમાં પણ તે ખુશીથી જીવી શકે છે અને વળી એનું વીર્ય અનંત છે માટે ફક્ત જીવનના જ નિર્વાહ માટે એને આહાર લે. જરૂર નથી. વળી, હવે એ કેવળજ્ઞાનિને ધર્મતત્વને વિચાર કરવાની જરા પણ જરૂર નથી. કારણ કે, હવે તે એ સર્વજ્ઞ અને સર્વદશી હોવાથી વિના વિચાર્યું જ બધું જાણી શકે છે માટે એ કારણથી પણ એને જમવાની જરૂર જણાતી નથી.
એ પ્રકારે આહાર કરવાનાં છે કારણોમાંનું એક પણ કારણ કેવળજ્ઞાનિને જતું નથી, તેથી જ અમે તેને
નિરાહારી માનીએ છીએ. વેતાંબર જૈન –ભાઈ, આપે જે કેવળજ્ઞાનિને નિરાહારી સિદ્ધ કરવાના
પ્રયાસ કર્યો છે કે, અમારી જાણ પ્રમાણે તે તદ્દન નિરર્થક છે. અમે તો એમ માનીએ છીએ કે, કેવળજ્ઞાનિને આહાર કરવાની જરૂર છે. કારણ કે, જે જે કારણો આહાર કરવાનાં છે તે બધાં મેં એને (કેવળજ્ઞાનિને ) લાગુ પડે તેવાં છે. આહાર કરવાનાં કારણનો નામવાર નિર્દેશ આ પ્રમાણે છેઃ–પૂરેપૂરી શરીરની રચના, વેદનીયનો ઉદય, આહારને પચાવવા માટે મળેલું તેજસશરીર અને લાંબુ આયુષ્ય. એ ચાર વાન ને ય છે તેને આહાર વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org