________________
ઉ–એ સર્વને પૂરેપૂરું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રકટ થએલું
છે અને તે, એ વડે જ આખા જગતને જાણી લે છે.
એને કાંઈ જાણવા માટે ઇકિયાની ગરજ રાખવી પડતી નથી. ૨. તમેએ એ સર્વાને અશુચિ ચીજોના રસને ચાખવાની વાત
કહી હતી. ઉ૦–પણ તે બરાબર નથી. કારણ કે, એ સર્વસુ, તમારી પેઠે
કોઈ પણ ચીજને રસ ચાખવા માટે જીભને ઉપયોગ કરતા નથી. એ તે એના કેવળજ્ઞાન વડે જ વસ્તુ અને તેના ગુણ દેને જાણી શકે છે. માટે આપના મુખમાં
એવી વાત જ શોભતી નથી. ૩. તમે કહ્યું હતું કે, સંસાર અનંત છે, તેમાં રહેલી ચીજો પણ
અનંત છે તે એક એક ચીજને જાણતે જાણુ એ શી
રીતે અને કયારે સર્વજ્ઞ થશે ? ૬૦ –જેમ એક ભણેલા માણસને પોતાનું બધું ભણેલું કેડામાં
એક સાથે જ ભાસે છે તેમ એ સર્વજ્ઞ કાંઈ એક એક ચીજને જોવા જ નથી. પરંતુ એને તે એ બધું ય એક
સાથે જ ભાસે છે. ૪. તમે જે કહ્યું હતું કે, ભૂતકાળની ચીજને ભૂતપે અને
ભવિષ્યકાળની ચીજને ભવિષ્ય જાણવાથી સર્વજ્ઞના જ્ઞાનમાં
પરોક્ષપણું આવી જશે. ઉ. —-એ પણ તમારે આક્ષેપ ખોટો છે. જો કે, વર્તમાનકાળની
અપેક્ષાએ ભૂતકાળની અને ભવિષ્યની એ બન્ને ચીજો અસત છે તે પણ એ હતું” અને “એ થશે” એ. પ્રમાણે સર્વજ્ઞ જાણતા હોવાથી એમાં કશો વાંધો આવતો નથી. એ પ્રકારે છેવટે સુખ અને દુઃખની હયાતીમાં જેમ કઈને વિવાદ હેઈ શકતો નથી તેમ આ સર્વજ્ઞ પણ એ જ રીતે વિવાદ વિનાનો કરી ચૂકી છે. માટે જ અમે જેને તે ઈશ્વરને સર્વજ્ઞ માનીને જ એક દેવ તરીકે પૂજીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org