SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જેમિનિસન પ્રામાણિક હકીકતોને કહે છે માટે એ સર્વજ્ઞ છે. જૈન-ભાઈ, તમે કાંઈ ભૂલ્યા જણાઓ છે. પ્રામાણિકપણે પ્રત્યેક હકીકતને કહેવી એ તે સર્વને ધર્મ છે. સર્વજ્ઞની ફરજ છે અને સર્વગ્નનું મુખ્ય નિશાન છે. માટે પ્રામાણિક હકીકતોને કહેવાથી કોઈ સર્વત અસર્વજ્ઞ થઈ શકે નહિ, કિંતુ એથી ઉલટું એટલે અસર્વજ્ઞ સુર્વસ થઈ શકે, એ હકીકત સુપ્રસિદ્ધ છે, માટે એવાં શાં. મારવાથી કાંઈ સર્વજ્ઞને નિષેધ કરી શકે તેમ નથી. જેમિનિટ—સન, બેલે છે માટે એ અસર્વજ્ઞ છે. જેન-ભાઈ, આપ જરા વિચારીને બેલે તો ઠીક. બેલવાની ક્રિયા સાથે સર્વત્તપણાને કોઈ જાતનો વિરોધ નથી, તે પછી આપ એમ શી રીતે કહી શકે કે, બેલનાર પુરૂષ, સર્વજ્ઞ હોઈ શકે નહિ, આ જ પ્રકારે “બુદ્ધ વિગેરે સર્વજ્ઞ નથી” “બધા પુરૂષો સર્વજ્ઞ નથી” 'એ જાતનાં તમારાં બધાં અનુમાનેને પણ દૂષણવાળાં સમજી લેવાનાં છે. જુઓઃ કદાચ તમે એમ કહે કે, બુદ્ધ દેવ સર્વજ્ઞ નથી, તો એથી જ અર્થાત એ અર્થ નીકળે છે કે, ત્યારે બીજો કોઈ સર્વજ્ઞ હવે જોઈએ અને એ રીતે તમારું સર્વજ્ઞના નિષેધ માટે જ વપરાએલું અનુમાન સર્વજ્ઞની સાબીતી કરી દે છે. તથા તમે જ્યારે એમ કહે કે, “પુરૂષ માત્ર સર્વજ્ઞ નથી” ત્યારે તે ખુદ તમે પોતે જ સર્વજ્ઞ થઈ જાઓ છે, કારણ કે, એ અનુમાન કરતી વખતે તમે આખા જગતના પુરૂષોની વાત કરે છે. એ પ્રકારે તમારું એક પણ અનુમાન “સર્વસના વાડાને પણ ખાંડું કરી શકે તેમ નથી.' જૈમિનિ ભાઈ, શાસ્ત્રમાં એમ કયાં લખ્યું છે કે, કઈ સર્વજ્ઞ હોઈ શકે છે, અર્થાત્ શાસ્ત્રમાં સર્વપ્નને લગતી હકીકત નથી મળતી માટે જ અમે એવા અશાસ્ત્રીય સર્વજ્ઞને શી રીતે માનીએ ? જેન—તમે જે શાસ્ત્રની વાત કહે છે એ શાસ્ત્ર કોઈએ બનાવેલું છે એ. લે પિષય છેકે એમને એમ જે થએલું છે એટલે અપરૂષય છે ? જૈમિનિ –એ શાસ્ત્ર તે એમને એમ જ થએલું છે-અરૂષય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy