SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ p થયા પછી એનું જ્ગતમાં શું કામ છે ?' એમ કહેવા માત્રથી તુમા સર્વજ્ઞને નિષેધ કરી શકે તેમ નથી. જૈમિનિ—અમને તે સર્વજ્ઞમણાની સાથે નિરંતર રહેતું એવું એક પણ નિશાન નથી જડતું માટે જ અમે એમ કહીએ કે, સર્વજ્ઞ નથી, તે એમાં ખોટું શું છે ? જૈન॰—ભાઇ, ખુખી તે એ છે કે, જે તમને નથી જતું એ અમને તે ઝટ.જડી જાય છે. સર્વનપણું અને બધી ચીજોના સાક્ષાત્કાર એ બન્ને એક સાથે એક જ ઠેકાણે રહે છે અને બધી ચીન્નેના સાક્ષાત્કાર–એ સર્વજ્ઞપણાનું મુખ્ય નિશાન છે. ‘ સર્વજ્ઞપણાની નિશાની નથી જતી' એમ કહીને સત્તુને ન માનવાની ભૂલ આપ ન કરે તે જ ઠીક. એ નિશાનની સાબીતી કરવા માટે આ જાતનું અનુમાન પ્રમાણ પણ મળી આવે છેઃ—જેમ આંખ ઉપરનાં પડળ વિગેરે ખસી ગયા પછી એની જોવાની સહજ શક્તિ પ્રગટી નીકળે છે અને તે વડે દરેક જાતનું રૂપ જોઇ શકાય છે તેમ આત્મા ઉપરનાં કર્મોનાં પડળે ખસી ગયા પછી એની જાણવાની સ્વાભાવિક શક્તિ ખીલી નીકળે છે અને તેવડે ઍ, ચીજ માત્રને જાણી શકે છે. ત્યારે જ એ સર્વજ્ઞ થયા કહેવાય છે. એ રીતે ખધી ચીજોના સાક્ષાત્કાર સાથે સર્વજ્ઞપણાની ગાંઠ વળગેલી જ છે અને તે એવી કે, કાઇથી તુટી તુટે તેમ નથી. એ પ્રકારે આપે જણાવેલી એકે દલીલથી સર્વજ્ઞને નિષેધ થઇ શકે તેમ નથી. જૈમિનિ~ભાઇ, તમે એમ માં કહે!? વિરાધી સાધને મળ્યાં છે, શકતા નથી. અમને તે! એવાં ઘણાં ય સર્વજ્ઞનાં તેથી જ અમે એને સ્વીકાર કરી જૈન॰આપને જે જે સાધને સર્વજ્ઞનાં વિાધી મળ્યાં હેાય તે આપે જણાવી દેવા કૃપા કરવી જોઇએ, જેથી અમે એને પણ ખુલાસા કરી દઇએ. અમે તે! એ વિષે અ પતે એમ પૂછીએ છીએ કે, જે વિરોધી સાધના આપને મળ્યાં છે તે શું આપે આખા સંસારમાંથી મેળવ્યાં છે કે અમુક ઇ ઠેકાણેથી મેળવ્યાં છે? જૈમિનિ—એ તે અમે અમુક કાઇ એક ફેકાણેથી જ મેળવ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy