________________
ભાવિક ગુણ છે અને એ, તેમાં તસ્તમતાને પામતે પામતે જરૂર એના પ્રકર્ષ સુધી પોંચી શકે છે અને એ ગુણને પૂરેપૂરે પ્રકર્ષ થયે સર્વજ્ઞની સિદ્ધિ થવી કોઈ મોટી વાત નથી. વળી, તમે જે ઉપર કૂદવાનું ઉદાહરણ આપીને અમારા આ જ મિયમને શિથિલ કરવાનો પ્રયાસ કર્યો છે, તે પણ બરાબર નથી. કારણ કે, પાણીની ગરમીની જેમ કૂદવું એ કાંઈ મનુષ્યને સ્વાભાવિક ગુણ નથી, માટે એ નિયમ ત્યાં પણ લાગુ થતો નથી. વળી બીજી અટકળ આ પ્રમાણે છે –
જેમ નજરે દેખાતા વાવ, કૂવા, તળાવ, દરિયે, પર્વત અને નદી વિગેરે પદાર્થો જાણવા ગ્ય હોવાથી આપણાથી જાણી શકાય છે તેમ આ આખું જગત પણ જાણવા એગ્ય હોવાને લીધે કિંઈનાથી તો જરૂર જણાવું જોઈએ. અને એ જેનાથી જણાય છે એ જ મહાપુરૂષ સર્વજ્ઞ છે. વાવ, કૂવા કે જગત વિગેરે “જાણવા ગ્ય નથી” એમ તે તમે કહી શકે તેમ નથી. કારણ કે, એ વિષે તે કોઈના પણ બે મત નથી.
વળી, તમે જે કહ્યું કે, જ્યોતિષ વિગેરેનું જ્ઞાન તે એક ગણિતના જાણનારને પણ હોય છે. પરંતુ ભાઈ, જ્યારે ગણિતની પણ હયાતી ન હતી ત્યારે એ વિષયનું શિથી પહેલું જ્ઞાન જેને થયું હશે એ તો જરૂર સર્વજ્ઞ હવે જોઈએ, એમાં કાંઈ નવાઈ નથી, એ તે એ સર્વ એ વિષયને ગ્રંથ વડે અને ગણિતની રીતે વડે આપણને જણાવ્યા છે એથી જ આપણને એ બધું સહેલું લાગે છે. પરંતુ એ જાતના એવા તદન અજાણ્યા વિષયની સૌથી પહેલી માહિતી સર્વજ્ઞ સિવાય બીજા કોઈને થાય એ બનવા જેવું નથી. આ ઉપરથી એક આ ત્રીજું અનુમાન પણ આ પ્રમાણે દેરાય છે –
- જે કોઈ, ઉપદેશ વિના, નિશાન વિના અને બીજી પણ કોઈની સહાયતા વિના જે બાબતને જણાવી શકે છે તે જરૂર તે બાબતની જાણનારો કે જેનારે હોય ત્યારે જ બની શકે છે અર્થાત જેણે ઉપદેશ અને નિશાન વિના દૂર રહેલા સૂર્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org