________________
થ
જે જે ગુણમાં તરતમભાવ જણાતો હોય, તે તરતમભાવ ક્યાંયને કયાંય કઈને કઈ વખતે પૂરેપૂરા પ્રકષને પામે છે. જેમકે, પરિમાણમાં એટલે માપમાં તરતમભાવ જણાય છે અર્થાત્ માપ વધારે અને ઓછું થયા કરે છે અને છેવટ એને પૂરેપૂરે પ્રક આકાશમાં જણાઈ આવે છે તેમ જ્ઞાનમાં પણ તરતમભાવ જણાય છે અને એ તરતમતા કયાંયને કયાંય પૂરેપૂરા પ્રકઈને પામવી જ જોઈએ.. જયાં એ, પૂરેપૂરા પ્રકઈને પામે છે એનું જ નામ સર્વત છે. કહે, હવે આ પ્રકારના દૂષણ વિધાના અનુમાનથી સને સાખી
કરતાં શો વાંધો આવે ? જૈમિનિટ–અમને તે તમારું એ અનુમાન બરાબર લાગતું નથી. કારણ કે,
જે એ તમારું અનુમાન બરાબર હોય તો નીચે પ્રમાણે વાંધે આવે છેઃ– જુઓ, ચૂલા ઉપર પાણીને ઉનું કરવા મૂક્યું હોય, તે. તે ઉકળતા પાણીમાં પણ ગરમીની તરતભતા જણાય છે અને તમારા કહેવા પ્રમાણે જે એ ગમી ની તરતતા કયારેને કયારે પૂરેપૂરા પ્રકર્ષને પામતી હોય તો એ પાણી જ વખત જતાં અગ્ન થવું જોઈએ. પરંતુ એમ થતું તો કોઈએ જાણ્યું નથી. તેથી તમોએ જણાવેલ તમતાને એના પ્રકર્ષ સુધી પહોંચવાને નિયમ બરાબર લાગતો નથી. તો એવા ખોટા નિયમથી સવાની.
હયાતીને નિર્ણય કેમ થઈ શકે ? જેન-ભાઈ, અમે માનીએ છીએ કે, તમો અમારે અભિપ્રાય બરાબર
સમજ્યા નથી. અમે તે ઉપર એમ કહ્યું છે કે, જે ચી માં જે ગુણ સહજ હોય–સ્વાભાવિક હાય—અને તેમાં તરતભતા જણાતી હોય તો તે, કોઈને કોઈ વખતે પૂરા પ્રકને પામે જ. તમોએ જે ઉકળતા પાણીનું ઉદાહરણ દઈને અમારો એ નિયમ ખોટો પાડો છે, તે કાંઈ બરાબર નથી, કારણ કે, પાણીમાં જે ગરમીનો ગુણ જણાય છે, તે, તેને સ્વાભાવિક ગુણ નથી. કિંતુ એ તે એમાં અગ્નિના સંબંધથી આવે છે. માટે એ ઉદાહરણને અમારે નિયમ જ લાગુ પડતું નથી. તે પછી અમારે એ નિયમ તમે કઈ રીતે ખોટો પાડી શકશે? અમે તો એ એક જ નિયમથી સર્વતની સિદ્ધિ કરીએ છીએ અને જણાવીએ છીએ કે, જ્ઞાન ગુણ તો આત્માનો સ્વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org