________________
૩૪
વળી, કદાચ તમે એમ કહે કે, એ સર્વજ્ઞ કેટલુંક તે આંખ વિગેરે ઇદ્રિ વડે, કેટલુંક અટકળ વડે અને કેટલુંક શાસ્ત્ર વડે—એમ કરીને આખા જગતને જાણે છે, તે પછી જગતના બધા ય મનુષ્યો એ જ પ્રકારે આખા જગતને જાણતા હોવાથી એ બધાને શા માટે સર્વશ ન કહેવા?
વળી સંસારને આદિ અને અંત નથી, તેમ તેમાં રહેલા ‘પદાર્થોને પણ અંત નથી તો એ તમારે સર્વજ્ઞ એક એક પદાર્થને જાણતો જાણુતે અનંત કાળ વીત્યા પછી પણ શી રીતે સર્વત થઈ શકશે ?
વળી, જ્યારે એ સર્વજ્ઞ વસ્તુમાત્રને જાણકાર થશે ત્યારે તે એણે અશુચિ પદાર્થોના રસને પણ ચાખ્યા હશે, એમ પણ તમારે મેં મરડીને પણ કબુલ કરવું પડશે.
અમે તો છેવટ એટલું જ પૂછીએ છીએ કે, એ સર્વસ ભૂતકાળમાં થઈ ગએલી અને હવે પછી બનવાની વસ્તુઓને ક્યા આકારે જાણે છે ? જે તે, ભૂતપે અને ભવિષ્યરૂપે જાણતા હોય તે પછી એનું જ્ઞાન ભૂત અને ભવિષ્યરૂપ હોવાથી પ્રત્યક્ષરુપ ન કહેવાય, કિંતુ સ્મરણ વિગેરેની પેઠે પક્ષ જ કહેવાય. અને જે તે, એ બધા પદાર્થોને વર્તમાનરુપે જાગૃત હોય તો એનું જ્ઞાન ભ્રમવાળું જ ગણાય. કારણ કે, ભૂતની અને ભવિષ્યની વસ્તુઓને વર્તમાનપે જાણવી એ જ પેલું બેટું છે–આ પ્રકારે કોઈ પણ દલીલ. તર્ક કે પ્રમાણવડે સર્વજ્ઞની સાબીતી
થઈ શકતી જ નથી. જેન-ભાઈ, તમે જે એકલા એકલા અત્યાર સુધી સર્વાની હયાતીને
તેડી પાડવાનો પ્રયાસ કર્યો છે તે બધા ય તદન નકામે છે. જાઓ અને ધ્યાન આપે. હવે અમે સર્વજ્ઞની સાબીતી નીચે પ્રમાણે કરીએ છીએ--
તમે એ જે કહ્યું છે કે, “સર્વજ્ઞની સાબીતી કરવા માટે એક પણ પ્રમાણ મળતું નથી, પણ તે તમારું કથન સાચું નથી. કારણ કે, સર્વજ્ઞની હયાતીને નક્કી કરવા માટે ફક્ત એક નીચેની અટકળ (અનુમાન) જ પૂરતી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org