________________
૩૩
હેય તે પણ સૂર્ય, ચંદ્ર, તારા, જોતિષ અને ગ્રહણ વિગેરેની માહિતી જાણી શકે છે અને જણાવી પણ શકે છે. કિંતુ એ કાંઈ સર્વજ્ઞ હેતો નથી. માટે ઉપર જણાવ્યા પ્રમાણે પણ સર્વિસની સિદ્ધિ થઈ શકતી નથી અર્થાત એવું એક પણ પ્રમાણ મળવું
નથી કે, જે વડે સ્વૈજ્ઞની હયાતીને નિર્ણય થઈ શકે. જૈન-ભાઈ, જેમ ખાણમાં રહેલું સોનું અનાદિ કાળથી મેલું હોય છે.
પણ તેને તાપ લાગતાં જ તે, વિશુદ્ધ થઈ જાય છે તેમ મલિન આત્મા પણ ધીરે ધીરે જ્ઞાન, ધ્યાન અને તપ વિગેરેને અભ્યાસ કરતાં કરતાં પરમ વિમળતાને પામીને સર્વજ્ઞ થઈ શકે છે. તે એ જાતની સાદી અને સરળ હકીકતને સાબીત કરવા માટે બીજા બીજ પ્રમાણેનો આશ્રય લેવા કરતાં આપણે અનુભવ જ બસ છે. આ વાત તે તમે પણ જાણે છે કે – ' “ ભણતાં પંડિત નિપજે લખતાં લહિ થાય,
ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ પાય ” મિનિટ–ભાઈ, તમારું એ ધીરે ધીરે અભ્યાસવડે સર્વત થવાનું પણ
અમને તે ખોટું લાગે છે. કારણ કે, જે માણસ કૂદવાનો અભ્યાસ કરે છે તે કદી પણ સો જન તો ફૂદી શકતો જ નથી. કદાચ કૂદવાને અભ્યાસ બહુ બહુ કરવામાં આવ્યો હોય તે એ, માંડ પાંચ-દસ હાથ કૂદી શકે અધત અભ્યાસવડે માત્ર મૂળ સ્થિતિમાં કાંઈક સુધારો થાય છે અને એથી વિશેષ કાંઈ થઈ શકતું નથી. તો પછી એ વડે સર્વજ્ઞ થવાની વાત કેમ કહેવાય ? વળી અમે કદાચ તમારા માનની ખાતર અને સર્વિસ તરીકે માનીએ, તે પણ એ સર્વસ, આ આખા જગતને શી રીતે જાણી શકે ? શું. એ, આખા જગતને આંખો વડે જોઈ શકે ? કે બીજી કોઈ ચમત્કારી જ્ઞાનવડે જોઈ શકે?
ઘણું પદાર્થો દૂર અને છૂપા રહેલા હોવાથી માત્ર આંખે વડે જ આખું જગત જોઈ શકાય નહિ.
* તેમ તેનામાં (સર્વજ્ઞમાં) કોઈ ચમત્કારી જ્ઞાન છે એવી આપણને ખાત્રી થયા વિના એમ કેમ કહેવાય કે, એ ચમત્કારી. જ્ઞાનવડે આખા જગતને જુએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org