________________
પડશે. આમ માનવાથી સંસારમાં એક પણું શાસ્ત્ર એવું નહિ રહે કે, જે ખોટું હેય. વળી, ઈશ્વરે જ બનાવેલું બધું પ્રામાણિક હોવાથી કોઈ વાદી, પ્રતિવાદી પણ ન રહી શકે. એ રીતે ઈશ્વરને જગતના કરનાર તરીકે માનતાં અનેક દૂષણે આવે છે અને કઈ પણ રીતે એ વાત સાબીત થઈ શકતી નથી. માટે જ અમે ઈવરને કરનાર કે પાળનાર માનતા નથી. અમે તે એને રાગ છેષ વિનાનો, સર્વજ્ઞ અને સત્ય તત્વને પ્રકાશક માનીએ છીએ. અને એવા જ એક અને અનેક ઈશ્વરને અમે દેવ તરીકે પૂજીએ છીએ અને સેવીએ છીએ.
સર્વશ–વાદ.
જૈન સંપ્રદાયવાળા પિતાના ઈશ્વરને સર્વજ્ઞ માને છે એટલે ઈશ્વર આ જગતને, ઉપરના જગતને અને નીચેના જગતને જાણે છે–એમ માને છે. ત્યારે જૈમિનિઋષિના મતવાળા કહે છે કે, સંસારને કોઈ મનુષ્ય સર્વજ્ઞ હોઈ શકતું જ નથી. હવે તેઓ બન્ને એ સવજ્ઞવાદનું નિરાકરણ લાવવા નીચે પ્રમાણે ચર્ચા કરે છે – જૈમિનિ -–તમે જેને સર્વજ્ઞ વિગેરે વિશેષણો લગાડો છે એવો કોઈ દેવ
હોઈ શકતા નથી. કારણ કે, એવા પ્રકારના દેવની સાબીતી કરવા માટે
એક પણ પ્રમાણ મળતું નથી. જેન–ભાઈ, અમારા ધારવા પ્રમાણે તે દેવની સર્વજ્ઞદશાને સાબીત
કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ જ પૂરતું છે. દેવની દેહધારી દશામાં એનું સર્વજ્ઞપણું આપણી આંખે જોઇ શકાય એવું છે માટે એ જાતની
સાબીતી માટે બીજ પ્રમાણ કે પ્રસ્તની જરૂર જણાતી નથી. " જૈમિનિ –એ તો તમે ખોટું કહે છે. તમે પણ એમ માને છે કે,
વર્તમાન કાળમાં એવું કોઈ દેહધારી નથી કે, જે સર્વજ્ઞ હોય.
જ્યારે એમ છે ત્યારે આપણી નજરે એની સાબીતી કેમ કરી શકાય? વળી, કદાચ તમો એમ કહેશે કે ભૂતકાળમાં ઘણું સર્વજ્ઞો થઈ ચૂક્યા છે. તે ભૂતકાળની વાતને આપણે નજરે જોઈ શકતા નથી. માટે સર્વાની સાબીતી કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણુનું અવલંબન લેવું તદ્દન નકામું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org