SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અવા –ભાઈ! અમને તો એમ જણાતું નથી. જે ઈશ્વર જગતને બનાવવામાં પિતાની જ મરજી પ્રમાણે વર્તતે હોય તે કોઈ એવો સમય પણ આવો જોઇએ કે, જે સમયે જગત તદન જુદા પ્રકારનું પણ રચાયું હોત–હેય. આપણાથી એ તે ન જ કલ્પી શકાય કે, તેની મરજી હમેશા એકની એક જ રહે છે. કારણ કે, તે પોતે તદન સ્વતંત્ર હવાથી ધારે તેવું કરી શકે છે. પરંતુ જગત તો હમેશા એક જ ઘાટે ચાલ્યું જાય છે અને ચાલ્યું આવે છે. એની બીજી કોઈ જાતની રચના કરી, કેઇએ અને ક્યારેય સાંભળી કે જાણ પણ નથી. તેથી એમ જાણી શકાય છે કે, જગતની રચના કરવામાં ઈશ્વર પિતાની જ મરજી પ્રમાણે વર્તતા નથી. કઈવાવ-ભાઈ, ઈશ્વર તો કર્મને વશ રહીને જગતની રચના કરી રહ્યો છે. એથી એ, કોઈ જાતની નહિ બનવા જેવી રચના કરી શકે જ નહિ. અકર્તવા –થયું. જે ઈશ્વર પણ કર્મને વશ રહેતો હોય એ દશ્વર " શાનો? સર્વ શક્તિવાળો પ્રભુ શાને ? " કવા–ભાઈ, જરા ભૂલ થઈ ગઈ, ખરું તે એ છે કે, ફક્ત દયાને લી જ ઈશ્વર જગતને રચવાની ભાંજગડ કરી રહ્યા છે–કારણ કે, એ તે મહાદયાળુ છે. અકવા–જે ઇશ્વર દયાને લીધે જ જગતને બનાવી રહ્યા હોય તે એ આખા જગતને સુખી શા માટે ન કરે? જીવમાત્રને સુખ આપવું એ દયાળુ પુરૂષનું કામ છે. પરંતુ જગતમાં સુખ તે સરસવ જેટલું અને દુઃખ ડુંગર જેટલું જણાય છે. એથી આવા જગતને જોઈને કોઈ પણ એમ તો ન જ કલ્પી શકે છે, ઇશ્વર ફક્ત દયાની લાગણીથી જ આને (જગતને) બનાવી રહ્યા છે. કર્તવા –જો કે, ઈશ્વર તે દયાળુ હોવાથી બધાને સુખી જ સરસે છે, પરંતુ એ બધા જીવો પિતાપિતાનાં કર્મોને લીધે પાછા દુખી થાય છે, એમાં ઈશ્વર શું કરે? અકવા–થયું. આ તે તમારા જ કહેવા પ્રમાણે ઈશ્વર કરતાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy