SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ધા–ચાલો, એ બધું રહ્યું. ઈશ્વરપણને ખરા અર્થ કરનારપણું કે કર્તાપણું છે. કહે, હવે શું દૂષણ છે? અકળવા–ભાઇ, કિરનારપણું તો કર્ધામાત્રમાં રહેલું છે–જેમ ઈશ્વરમાં કર્તાપણું છે તેમ કુંભાર વિગેરેમાં પણ છે. તે પછી એક ઈશ્વર જ શા માટે કરનાર ગણાય ? કારણ કે, કમાત્રમાં કર્તાપણું તે એક સરખું છે તેથી મેં કઈ કર્તાઓને ઈશ્વર થવાનો પ્રસંગ આવશે. કવિ-ભાઇ, અમે જાણનારપણું કે કરનારપણું–બે બને નહિ, પણ એ સિવાય જે બીજું કાંઈ છે તેને જ ઈશ્વરપણું સમજીએ છીએ. અને તે વડે જ જગતની રચના થઈ રહી છે–એમ માનીએ છીએ. અવા–ભાઈ, આ તો વળી મોટો ગોટાળે છે કે, તમારું એ કથન અમારી કે બીજાની સમજમાં આવે તેવું નથી. અમે તે એમ માને એ છીએ કે, તમારા માનવા પ્રમાણે પશુ ઈશ્વરમાં ઈછા અને પ્રયત્ન સિવાય બીજું કાંઈ ત્રીજું હોય એમ જણાતું નથી. અને એ વડે જગતની રચના કરવામાં ક્યાં ક્યાં આવે છે, એ સઘળું ઉપર જણાવાઈ ગયું છે. માટે તમારું એ એક પણ કથન સાચું ઠરી શકે તેવું નથી અર્થાત તમારી એક પણ દલીલ એવી નથી મળી કે, જે વડે જગતના સરજનારની સાબીતી થઈ શકતી હોય. વળી, અમે આ એક બીજું પૂછીએ છીએ કે, તમેએ માનેલે ઈશ્વર, જગતને રચવાની જે ભાંજગડ કરી રો છે, શું તેમાં તે પિતાની મરજી પ્રમાણે પ્રવૃત્તિ કરે છે? વા કર્મને વશ થઈને પ્રવ્રુત્તિ કરે છે? વા દયાને લીધે પ્રવૃત્તિ કરે છે? વા લીલા કરવાની વૃત્તિથી પ્રવૃત્તિ કરે છે ? વા ભકતને વારવા અને દુષ્ટોને મારવા પ્રવૃત્તિ કરે છે કે એ જાતની પ્રવૃત્તિ કરવાને એને સ્વભાવ કવા —–ભાઈ, એ (ઈશ્વર) તો સૌને ઉપરી હોવાથી જગતની રચના કરવામાં એની પિતાની જે મરજી પ્રમાણે વર્તે છે અને જગત પણુ એ પ્રમાણે જે ચાલ્યા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy