________________
૫.
એક વા -ભાઈ! કેટલી બધી ભૂલ? એકવાર અને બેવાર તે કહેવાઈ
ગયું. હવે ત્રીજીવાર પણ કહીએ છીએ કે, ફક્ત જ્ઞાન, ઈછા અને પ્રયત્ન વડે જે શરીર ન હોય તો ક્રિયા જ થઈ શકે નહિ. ભલે ઈશ્વર વા ઇશ્વરને ઈશ્વર આવે તે પછી તમારું આ કથન શી રીતે
સાચું ઠરે ? કર્તવા -–ભાઈ, ત્યારે એ બધું જાવા દે. અમે તો એમ માનીએ છીએ કે,
ઈશ્વરના ઈશ્વરપણાને લીધે જ આ જગતની રચના થઈ રહી છે. અકવા–અરે ! આ વળી શો ગોટાળે ? તમે જરા ચોખુ બોલતા જા
તે ઠીક. અમે પૂછીએ છીએ કે, ઈશ્વરપણું એટલે શું ? શું જાણનારપણું એ દશ્વરપણું કે કરનારપણું એ ધરપણું? વા એ સિવાય બીજું કાંઈ તે ઇશ્વરપણું ? જો તમે માત્ર જાણનારપણને જ ઇશ્વરપણું માનતા હો તો એ જાણનારપણું પણ કેવું સમજવું ?
માત્ર નરું જ જાણનારપણું સમજવું કે સર્વજ્ઞાણું સમજવું ? કાવાવ---હાલ અમે તો ફક્ત માત્ર નરા જાણનારપણાને જ ઈશ્વરપણું
સમજીએ છીએ અને એને જ જગતની રચનાનું કારણ માનીએ
છીએ. અવા–ભાઈ, તમોએ ઉપર જણાવેલા ઈશ્વરપંણુના અર્થથી તે
ઇશ્વર ફક્ત જાણનારે જ કરી શકે છે અરે કરનાર તો કરી શકતો નથી. વળી જે ફક્ત જાણનારપણાને લીધે જ જગતની રચના થઈ જતી હોય તો જગતમાં એવો કયો જીવ છે કે, જેમાં જાણ નારપણું ન જણાતું હોય અર્થાત ઈશ્વરની જ જેમ જીવ માત્રનું જાણનારપણું જગતની રચનામાં કારણભૂત થવાથી ઈશ્વરની એકતાને
ભંગ થઈ જશે. કારણ કે, જાણનારપણું તે બધે એક સરખું જ છે. કતૃવા–ભાઈ, અમે ઈશ્વરપણુનો એ અર્થ ન કરતાં “સર્વાપણું” અર્થ
કરીએ છીએ. તે પછી શું દૂષણ છે ? અકવા —એમાં તો એનું એ જ દૂષણ છે? એ બીજો અર્થ કરવાથી તે
ઈશ્વર કદાચ બુદ્ધદેવ વિગેરેની પેઠે આખા જગતને જાણનારોસર્વત્ત-સાબીત થઈ શકે, પણ જગતનો કરનાર તે કદીયે સાબીત થઈ શકે જ નહિ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org