SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ જ કેમ હોઈ શકે છે. જેમ ઈશ્વર હયાત છે તેમ કુંભાર, લૂહાર અને સૂતાર વિગેરે પણ હયાત છે, એ બધાની હયાતીમાં કઈ એવી વિશેષતા નથી કે, એકની હયાતીથીજ જગતની રચના થાય અને બીજાની હયાતીથી ન થાય. માટે માત્ર હયાતીથી જ જગતની. રચનામાં ઈશ્વરને લાવવામાં બીજા પણ હયાતી ધરાવનારા કુંભાર વિગેરે વચ્ચે આવીને ઈશ્વરના ઈશ્વરપણુંને ભાગ લઈ જશે. કવાઈ–ભાઈ, હયાતીથી ન પત્યું તો રહ્યું. ઈશ્વરનું જ્ઞાનિપણું ક્યાં ગયું છે. અમે એના જ્ઞાનિપણાને લીધે જ એને (ઈશ્વરને) જગતને કરનાર માનીએ છીએ. અકવા –ભાઇ, તમારું આ કથન પણ ખોટું જ છે. જ્ઞાનિએ તે યોગિઓ. પણું છે. પરંતુ તે કાંઈ જગતને બનાવતા નથી માટે જગતની રચના કરવામાં જ્ઞાનિપણને સામે ધરવું એ પણ ઠીક જણાતું નથી. કર્તવાવ-ભાઈ, ઈશ્વરમાં જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન એ ત્રણે વાનાં હોવાને લીધે એ, જગતને રચી શકે છે અર્થાત ઈશ્વરનું જ્ઞાનપણું, ઈચ્છીવાળાપણું અને પ્રયત્નવાળાપણું –એ ત્રણે જગતની રચનામાં કારણભૂત છે. અકર્તવા ભાઈ તમે શું કામ ધ્યાન આપે છે યાદ રાખો. અમે ઉપર હમણું જ કહી ગયા કે, શરીરની હયાતી હોય ત્યારે જ જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન કારણભૂત થઈ શકે છે અને શરીરની હયાતી વિના એ ત્રણે આકાશકુસુમની જેવાં નિરર્થક છે. હવે જે તમે ઈશ્વરને શરીરવાળો માનો તે જે તેનાં જ્ઞાન, ઈરછા અને પ્રયત્નને જગતની રચનામાં લઈ શકો છ–વાપરી શકે છે. નહિ તે નહિ. તમે તો તેને શરીરવાળે માનતા નથી. ત્યારે તમે એમ કેમ કહી શકો કે, એનાં જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન જગતની રચનામાં કારણભૂત છે. કર્તવા–ભાઈ ! અમે કાંઈ એકલાં જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નને જગતનાં કારણભૂત માનતા નથી, પરંતુ ઇશ્વર તે ત્રણે વડે જે કાંઈ ક્રિયા. કરે છે તેને જ અમે જગતની રચનાનું કારણ માનીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy