SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ભૂતની પેઠે ન દેખાતા હોય. હવે એ ઈશ્વર, ઈ. ચમત્કારના કારણને લીધે રાજ ન દેખાતું હોય, તો. પણ જે તે કરનાર તરીકે થાય તે કયારેને કયારે તો કોઈને દેખાવો જ જોઈએ. પરંતુ એ તે કદીયે, કયારે અને કોઈને પણ દેખાતો જ નથી તેથી એમ કેમ માની શકાય કે, એ ચમત્કારના કારણથી દેખાતા નથી કે, કરનાર તરીકે નથી એટલે દેખાતો નથી. કર્તવા –ભાઈ! ત્યારે એ બધું જ છે. કિંતુ ઈશ્વરમાં એવી કોઈ જાતિવિશેષતા છે, કે જેને લઇને તે આપણી નજરમાં આવી શકતો નથી અને છાને છાને જ જગતને રચી રહે છે, અવા –ભાઈ, એ તો તમારું કહ્યું તમને જ નડે તેવું છે. અમે ધારીએ છીએ કે, તમે “ જાતિવિશેષ’નો અર્થ ભૂલી ગયા જણાઓ છે. તમોએ જ કહ્યું છે કે, જે ઘણી, ચીજોમાં રહે એનું નામ જાતિવિશેષ છે. તમે તે ઇશ્વરને એક જ માને છે અને એના જેટાની બીજી કોઈ ચીજને માનતા નથી. તે પછી ઘણી ચીજોમાં રહેનારે જાતિવિશે એકલા ઇશ્વરમાં શી રીતે રહી શકે ? માટે ઈશ્વરમાં એવો કઈ જતિવિશેષ હોઈ શકે જ નહિ કે, જે વડે તે, કેઈથી પણ જોઈ શકાય નહિ. થયું. હવે કદાચ માત્ર તમારા માનની ખાતર ઈશ્વરને જગતને રચનાર માનવામાં આવે તે પણ તેમાં બીજા કેટલાક પ્રકનો ઉઠે છે. જેમકે, જે તે જગતને ખરેખર રચતે જ હોય તો શું એક માત્ર એની હયાતીથી જ રચાય છે ? વા એના જ્ઞાનિપણને લીધે રચાય છે? વા એમાં ( દશ્વરમાં) રાન, ઈચ્છા અને પ્રયત્ન છે તે વડે જ રચાય છે ? વા એ ઇશ્વર, જ્ઞાનઈછા અને પ્રયત્નવડે ક્રિયા કરે છે એથી જગત રચાય છે ? કે ફક્ત એના ઈશ્વરપણાને લીધે જ જગતની રચના થઈ રહી છે ? કર્તવા–ભાઈ, અમે તે વધારે શું કહીએ, અમે તો ઇશ્વરના એવા ભક્ત છીએ કે, અમારે મન એની હયાતી માત્રથી જ જગતની રચના થઈ જાય છે. એકવા–એ તો તમારી આંધળી ભક્તિ છે, જુઓ-જે જગતની રચ નામાં ફક્ત હયાતીની જ જરૂર હોય તે એને રચનાર ઈશ્વર એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy