________________
ગુણને સરખાવતા નથી અને તેમાં કોઈ સરખાવે પણ નહિ. અમે તો માત્ર એટલું જ કહીએ છીએ કે, જેમ કલમ બનાવટપ છે અને તેથી જ તેનો બનાવનાર લેવો જોઈએ તેમ જગત પણ બનાવટ.
સ્પ છે અને તેથી તેને પણ બનાવનાર શા માટે ન હોય?— કલમ અને જગત વચ્ચે માત્ર એક બનાવટપણની–કરવાપણની જ સરખામણી છે, અને બીજી એક પણું નથી. જે તમારા કહેવા પ્રમાણે આ ઠેકાણે અને બીજે ઠેકાણે બધી જાતની સરખામણી કરવામાં આવે છે તે એક પણ વાતને નીવડે ન આવે અને કયાંય બધી જાતની સરખામણી પણ મળી શકે નહિ. માટે કલમ અને જગત વચ્ચે બધી સરખામણી કરીને તમે જે અમારી કલ્પનાને ધકે પહોંચાડે છે, તે કાંઈ ઠીક નથી.
અકવા–ભાઈ, તમે કહો છો તે વ્યાજબી, પણ તમારા સ્વાર્થનું કહેતા
હોવાથી તેમાં ગેરવ્યાજબી પણ આવી જાય છે. જુઓ–અમે એમ તે કહેતા નથી અને કહીએ પણ નહિ કે, જગત અને કલમ વચ્ચે બધી જાતની સરખાઈ હોવી જોઈએ. પરંતુ આટલું તો. કહીએ અને કહીશું પણ ખરા કે, એ બન્ને વચ્ચે રહેલું કરવાપણું બનાવટપણું–તે એક સરખું જ હોવું જોઈએ. જો તેમ ન હોય તે બનાવટનું એડું લઈને જગતના કરવાપણને નક્કી કરી અને તે વડે તેના કરનાર બનાવનારને નક્કી કરવાની વાત કરવી તે ફેકટ છે. ખરી રીતે વિચારતાં જણાય છે કે, કલમ અને જગત વચ્ચે રહેલું એક કરવાપણું પણ સરખું નથી. કારણ કે કલમ અને બીજી ચીજો જે કાંઈ કરી શકાય એવી છે–કરવામાં આવે છે તે બધીન કરનાર કોઈને કોઈ, દેખી શકાય એવો છે. તમે આખા સંસારમાં ફરીને જુઓ કે, એવી એક પણ બનાવા મળે છે, જેને કરનાર કેઈથી પણ ન દેખાય એવો હોય. આ ઉપરથી તે--કરવાપણાને લીધે ફક્ત દેખી શકાય એવા જ કરનારની અટકળ બાંધી શકાય છે, પણ તમારી પેઠે ન દેખાય એવા એ શી રીતે કલ્પાય? હા, તે પણ કલ્પાય, પણ ક્યારે ? જ્યારે તમે એકાદ પણ એવી ચીજ બતાવો કે જેને કરનાર કોઈથી પણું ન દેખાય તે હોય. અમારા. ધારવા પ્રમાણે તે ઉપર જણાવેલી રીત મુજબ જગત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org