SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ હવાઇ– આઈ, અત્યાર સુધી તમે જે કહ્યું કે મર્યાદાવાળું હોવાથી કદાચ ઠીકે લેખાય. પરંતુ તમે જે ઘણું ઉપર જણાવ્યું છે તે તે તદન ખોટું જણાય છે, સાધારણ અને અસાધારણ બનાવટમાં કદાચ તમે. વિશિષપણું મ માને છે ભલે. પરંતુ તે બન્નેમાં બનાવટપણું એક સરખું હોવાથી તે વડે બનાવનારની સાધના કરવામાં શું વાંધો આવે? અકવા–જો માત્ર એક બનાવટપણાને લીધે જ બનાવનારની સિદ્ધિ થઇ શકતી હોય, તે ફક્ત આત્મપણાને લીધે આપણી જેમ મહાદેવનું, શરીરધારિપણું, અધૂરાપણું ઓછું જાણકારપણું અને સંસારપણું શા માટે ન સિદ્ધ થઈ શકે? કારણ કે, જેટલું અને જેવું આત્મપણું મહાદેવમાં છે તેટલું જ મનુષ્યમાં પણ છે. વળી ખરી વાત છે. એ છે કે, બનાવટમાં અસાધારણપણું શી રીતે હે - એ જ વાત પેલી સમજાતી નથી. કવા–ભાઈ, તમે ભલે ગમે તેમ કહે, પરંતુ અમે તે આ એક જ વાત કહીએ છીએ કે, “જેને જોઇને-કરેલું-એવી માં પેદા થાય છે તેનો કઈ કરતાં હોય-એમાં કેઈથી ના ન કહેવાય. અને એ જ રીતે જગતના કરનારની અટકળ કરવી ઘણી સુગમ લાગે છે. અકવા–ભાઈ, તમારી વાત તો ખરી છે. પણ અમારી સમજ પ્રમાણે જમીન વગેરેને જોઈને “એ કરેલાં છે એવી કલ્પના કેઈને થતી હોય એમ જણાતું નથી. આ તે તમે મારી મચડીને એ જાતની અટકળ ઉભી કરેલી છે. જેમ જૂન દૂવ જોઈને કે એક મોટા મહેલને જોઇને “એ કરેલાં છે” એવી અકળ બાંધી શકાય છે તેમ જમીન વગેરેને જોઈને એ જાતની મતિ થતી હોય એમ જણાતું નથી. તે પછી જ્યાં એ જતની મતિ જ થતી નથી ત્યાં તે વડે કરનારને સાબીત કરવાની તો વાત જ શી ? કા –ભાઈ! ઘડીભરને માટે એમ માની લઈએ કે, તમને જમીન વગેરેને જોઈને એવી મતિ ભલે ન થાય, પરંતુ જે પ્રામાણિક બને છે તેઓને તે એવી બુદ્ધિ થવી એ સહજ વાત છે. અને એ જ બુદ્ધિ વડે કરમારની સાબીતી કરવી એ પણ સહેલ વાત છે. અકવા –ભાઇ, તમારા કહેવા પ્રમાણે કદાચ. પ્રામાણિક મનુષ્યને જમીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy