________________
શકે છે. અહીં આપણે ઉપરની ચર્ચાથી જોઈ શક્યા છીએ કે, જેમ જેમ બનાવટનું સ્વરુપ વિચારતા ગયા તેમ તેમ તે નબળું બનતું ગયું અને છેવટ તેનું કાંઈ ઠેકાણું જ ન આવ્યું. તે તે વડે" બનાવનાર” નો પત્તે કયાંથી લાગે ? અને કેમ લાગે ? આ પ્રકારે છેવટ “જમીન વિગેરેને કેઈએ બનાવ્યાં છે– એ બધાં બનાવટપ છે માટે” એ જાતની કલ્પના ખસી પડે તેવી છે માટે ખરી ઠરતી નથી. વળી, જે કઈ ચીજ બનાવટી હોય તે કઈ જગતમાં હમેશા ટકતી નથી, પણુ ગણ્યા ગાંઠયા દિવસો જ ટકે છે. જે આ જગતને તમે બનાવટી ઠરાવવા ચાહો છે તે ઈશ્વરની પેઠે હમેશાં ટકતું હોવાથી બનાવટી ચીજોમાં કેમ ભળી શકે ? વા તેને બનાવટી ચીજોમાં કેમ મેળવી શકાય ? કવા–ભાઈ, તમે તે બેલવાની છટા કરીને અમને મુંઝવવા ધારે છે,
પણ અમે કેળ મુંઝાઇએ એવા નથી. તમે જે છેવટે કહ્યું કે, “જે કોઈ ચીજ બનાવટી હેય તે કાંઈ હમેશા ટકતી નથી” એ વાત તે અમારે પણ કબૂલ છે. પરંતુ એમ કહીને જગતને હમેશા ટકનારું જણાવ્યું, તે અમને ખોટું જણાય છે. કારણ કે, જગતે તે હમેશા ફર્યા કરે છે એટલે ફેરફાર પામ્યા કરે છે–તે કાંઈ હમેશા એક જ
પે રહેતું નથી–સ્તમે જ જુઓ છે કે, નિત્ય પ્રતિ કેટલાં જનમ લે છે, કેટલાં મરી જાય છે, કેટલાં ઝાડ ઉગે છે, કેટલાં કરમાય છે અને એ પ્રમાણે જગતમાં નિત્યે નિત્ય નવું નવું થયા જ કરે છે. એથી કદાચ જગત પ્રવાહ રુપે રાજ જણાતું હોય, પરંતુ તેમાં રહેલી દરેકે દરેક ચીજ એક સરખી ન રહેતી હોવાથી તેને (જગતને) પણ એક સરખું અને નિત્ય રહેતું ન માની શકાય અર્થાત જગત એક સરખું અને એક પે નથી રહેતું માટે બનાવટ રુપ છે, એથી એને કોઈ એક બનાવનાર હોવો જોઇએ, એવી અટકળ શી રીતે
ખોટી ઠરે ? અકર્તવા–ભાઈ, તમે તે વર્ષે આ એક નવું જ ધતિંગ કાઢયું કે, “જગત
ભલે પ્રવાહીરુપે રોજ જણાતું હોય, પણ તેની અંદરની દરેકે દરેક ચીજ રોજે રોજ બદલતી હોવાથી જગતને પણ એકરૂપે રહેતું ન માની શકાય અર્થાત તે (જગત ) બદલાતું હોવાથી બનાવટપે જ મનાય અને તેથી તેને બનાવતાર પણ સિદ્ધ કરી શકાય.’ પરંતુ તમારી એ અટકળ પણ તદ્દન ખોટી છે. એ અકળ પ્રમાણે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org