________________
પડશે. વળી બીજું એ કે, બીજી બીજી ચીજોની પેઠે કર્મોને નાશ થ” એ પણ એક બનાવટ છે અને એ અનાવટને “તમારે એ નવું જણાવેલું બનાવટનું ધારણ લાગુ પડતું નથી. કારણ કે, કર્મોને એક વાર તદન નાશ થવો એ એક પ્રકારને અભાવ છે એટલે એ કોઈ ચીજરૂપ નથી તેથી એ અભાવ અને તેનાં કારણો સાથે કોઈ જાતને સંબંધ હોઈ શકે નહિ. સંબંધ તે હયાતી ધરાવતી ચીજને જ હોય, પણ જે કઈ ચીજ૫ નથી તેને ન હોય. એ પ્રકારે કારણોની સાથે સંબંધ નહિ ધરાવતા એ કર્મનાશરુપ અભાવને એ બનાવટનું ધોરણ લાગુ પડતું નથી અને એથી જ એક સરખે પ્રકારે બધી બનાવટોને નહિ લાગુ થતું હોવાથી બનાવટનું આ નવું સ્વરૂપ અધુરું પણ છે. તે આવા અધૂરા અને દૂષણવાળા
ધોરણથી જે કાંઈ સધાય તે સાચું હોઈ શકે નહિ. કર્તવા–ચાલે, બનાવટનું એ બીજું સ્વરુપ પણ રહ્યું. અમે તો જેને
જેવાથી “એ કરેલું છે” એ ભાવ પેદા થાય એને જ બનાવટ કહીએ છીએ. આ. જમીન વિગેરેને જેવાથી એ કરેલાં છે ? એ વિચાર સે કોઈને ઉગે છે. તેથી એને બનાવનાર કઈ પણ એક
હોય, એ આપ આપ સાધી શકાય તેવું છે. અવા –ભાઈ, ઉપર ટપકે જોતાં તે આ ત્રીજું નવું લક્ષણ બરાબર લાગે
છે, પરંતુ જરાક વિશેષ વિચાર કરતાં એ લક્ષણ પણ ઘટે એવું નથી. જુઓ અને ધ્યાન આપો જે જગ્યાએ આકાશ ન હોય તે જગ્યાએ પણ દવાથી આકાશ (પિલી જગ્યા) થઈ શકે છે અને એ બદેલા ભાગને જેવાથી “એ કરેલું છે” એવો ભાવ પણ સૌ કોઈને પેદા થાય છે માટે એ નવા લક્ષણને લાગુ પાડતાં તે આ આકાશ, જેને તમે કેઈએ બનાવેલું નથી માનત અર્થાત અબનાવટી માને છે તેને પણ બનાવટી માનવું પડશે એ કાંઈ નાનું
સૂનું દૂષણ નથી. કવા-ભાઈ, તમે તો અમારાં બધાં લક્ષણેને ખોટાં પાડવા કમર કસી
જણાય છે અને યુક્તિ ઉપર યુક્ત ચલવ્યે જાઓ છે. થયું. અમારાં એ બધાં લક્ષણ રહ્યાં, પણ “જે ચીજમાં ફેરફાર થયા કરે છે તેને જ અમે બનાવટ માનીએ છીએ અને બનાવટનું પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org