SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ નવમી સદીની વચમાં લાવવાને પૂરો છે, સર્વથા પ્રબળ છે અને જ્યાં સુધી બીજું પ્રબળ બાધક ન આવે ત્યાં સુધી એ તદન અબાધિત પણ છે. છેવટે અમે એ આચાર્યશ્રીને વિનંતિ કરીએ છીએ કે, ઇતિહાસના ક્ષેત્રમાં કામ કરનારા જે જાતનાં પ્રમાણો અને સાધનો દ્વારા સમયનિર્ણયની ચર્ચા કર્યા કરે છે તે જ રીતે જે તેઓ પણ શ્રીહરિભદ્રજી વિષે વિચાર કરશે તે જરૂર વ્યાજબી હકીકતને સમજી શકશે. જે તેમના પ્રામાણિક પ્રબળ પૂરાવા અમારી વિરુદ્ધમાં જશે તે અમે પણ એમના મતને બારીકીથી જરૂર તપાસીશું. જે દલીલ મેં ઉપર જણાવી છે તે જ દલીલે મારે મુનિ ક૯યાણુવિજ્ય સામે કરવાની છે. મુનિ કલ્યાણુવિજયે હરિભદ્રને વિક્રમના ૫૮૫ના વર્ષમાં આવા માટે જે જે પ્રમાણો આપ્યાં છે તે બધાની સામે મેં આગળ આપેલી દલીલે. જ પૂરતી છે, છતાં એમનાં પ્રમાણને પણ થોડું અવલોકન કરવું અસ્થાને નથીએઓ જણવે છે કે, “તવાર્થ વૃત્તિના કર્તા સિદ્ધસેન ગણીએ આચાર્ય હરિભદ્રની નંદીની ટીકાનો ઉલ્લેખ પિતાની તસ્વાર્થવૃત્તિમાં કરે છે, એ સિદ્ધસેન ગણીને વિક્રમના છઠ્ઠા સિકાને છેડે પાશ્ચાત્ય અને અત્રત્ય પંડિતાએ મૂકેલા છે માટે હરિભદ્ર એની પહેલાં હોય એ સુસંગત છે” (ધર્મસંગ્રહણીની સંસ્કૃત પ્રસ્તાવના પૃ. ૨૪) મુનિ કલ્યાણવિજયે આ તે લખ્યું છે પણ વાર્થ વૃત્તિના કર્તાને કો પંડિત કયા પ્રમાણેથી વિક્રમના છઠ્ઠા સૈકાને છેડે મૂકે છે? તે તે જણાવ્યું જ નથી એથી એમનો એ ઉલ્લેખ શી રીતે પ્રામાણિક મનાય? એ સિવાય એમણે હરિભદ્રના પ્રસંગમાં શંકરના, ધમકીતિના અને મધ્યવાદીના સમય માટે ઊહાપોહ કરતાં ઘણું ગે થાં ખાધાં છે અને તેમાં કેટલાએ પ્રામાણિક વિદ્વાન ને “ઘરમેતવિસાતા ચામદઢ વયન” “શ્રદ્ધાપથમવતfa” (જૂઓ ધર્મસ હણીની સંસ્કૃત પ્રહ પૃ. ૩૦ તથા ૩ ) આવું આવું મૂળ વિનાનું લખીને અપ્રમાણ કરાવ્યા છે મુનિ કલ્યાણવિજયે સમજવું જોઈએ કે, અમારી શ્રદ્ધામાં આવતું નથી” “એમાં અમારી આસ્થા નથી” એવું એવું જ લખવા માત્રથી કાંઈ ઈતહાસનો ઉહાપોહ ન થઈ શકે, એ માટે તે પૂરતાં અને પ્રબળ પ્રમાણે આપવાં જોઈએ. એમણે પણ પોતાની પ્રસ્તાવનામાં “કુવલયભાલારની મે આગળ જણાવેલી ગાથાઓ જણાવીને દાક્ષિણ્યચિહે શ્રીહરિભદ્રને યાદ કક્ષાનું લખ્યું છે (પ૦ ૨૮ ધર્મસંગ્રહણનો પ્રસ્તાવના) પણ એ ગાથાઓને સમજવા તેઓએ પ્રયત્ન જ કર્યો નથી. આ સંબંધે હવે છેવટ ફરીને પણ એ કુવલયમાળાનો ઉલ્લેખ, નંદીચૂર્ણિ તે સમયસૂચક ઉલ્લેખ તથા નંદીચર્ણિને હરિભકે કરેલ ઉોગ એ તરક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy