________________
શ્રી રાયપાસણય સુત્ત
તે દરેક નાગદતે ઉપર નાની નાની ઝણઝણતી ઘંટડીઓ લટકેલી, એએ ભીંતમાં બરાબર બેઠેલા, એમને આગલે ભાગ ભીંતથી સારી રીતે બહાર પડ–એવા એ સાપના અડધા ભાગ જેવા દેખાતા વામય સીધા લાંબા નાગદતે, હે આયુષ્યનું શ્રમણ ! મોટા મોટા ગજદંતના આકાર જેવા સુંવાળા અને શેભાજનક છે.
વળી, એ નાગદંમાં કાળા, નીલા, રાતા, પીળા અને ધાળા સૂતરથી પરેવેલી લાંબી લાંબી માળાઓ લટકાવેલી, એ માળાઓના લંબૂસક–ઉપરનાં કુમતાં-સોનાનાં, એ કુમતાંની અડખેપડખે જડેલી સેનાના પતરાની પાંદડીઓ છે; જ્યારે દક્ષિણને ઉત્તર પૂર્વ અને પશ્ચિમને મંદ મંદ પવન વાય ત્યારે તે ધીરે ધીરે હલતી હલતી પાંદડીઓમાંથી કાન અને મનને શાંતિ આપે એવું મધુરું સંગીત નીકળે છે.
૧૧૬ વળી, હે આયુષ્યમનું શ્રમણ ! એ નાગદેતેની ઉપર બીજા સેળ સેળ નાગદંતની હારે આવેલી છે, તેઓ પણ ગજદંતના આકાર જેવા સુંવાળા અતિ રમણીય છે. ઉપરના આ નાગદમાં રજતમય શિકાં ટાંગેલાં છે, એ દરેક શિકામાં વડુર્યની ધૂપઘડઓ મૂકેલી છે, એ ધૂપઘડીએમાં ઉત્તમ કાળો અગર કિનારુ અને તુરુશ્કને સુગંધી ધૂપ મઘમઘી રહ્યો છે, એવી એ સુગંધી વાટ જેવી મઘમઘતી ધૂપઘડીઓમાંથી નીકળતી મનહારી સુગંધ ઘાણ અને મનને શાંતિ આપતી તે પ્રદેશમાં ચારે કેર ફેલાતી રહે છે.
૧૧૭ વળી, એ બારણાંઓની બન્ને પડખેની બેઠકમાં સેળ સેળ પૂતળીઓની હારે જણાવેલી છે. તે પૂતળીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org