________________
-
-
શ્રી રાયપાસેણઈય સુત્ત
૬૫
મણિરથી રમતી પૂતળીઓ બારણાંઓમાં ખોડેલી છે. તેને માઢ-માડભાગ-વજન અને માડભાગનું શિખર રૂપાનું છે.
બારણાના ઉપલા ભાગે સુવર્ણમય, તેમાં મણિમય જાળીવાળા ગોખલાઓ, પડખાં અને પડખાંની બાજુએ અંકરત્નમય અને વાંસડાઓ ખપાટ તથા નળિયાં જતિરસરત્નમય છે. તેની પાટીએ રૂપાની, નળિયાંનાં ઢાંકણ સુવર્ણમય અને ટાટીઓ વમય છે. એ જાતનાં તે બારણાં શંખના ઉપલા ભાગ જેવાં અને રૂપાના ઢગલા જેવાં ધેળાં લાગે છે. તે બારણુઓ ઉપર અનેક પ્રકારનાં તિલકો–ટલાં અને અર્ધચંદ્રો કેરેલાં છે, મણિની માળાઓ ટાંગેલી છે, બારણાં બહાર અને અંદર સુંવાળાં છે, તેના ઉપરની રંગની ભૂકી સોનાની વેળુમય છે એવાં એ બારણાં સુંદર, સારા સ્પર્શવાળાં, રૂડી શોભાવાળાં, પ્રસન્નતા પમાડે તેવાં દર્શનીય અને અસાધારણ રમણીય છે.
એ બારણાની બન્ને બાજુની બેઠકમાં કમળ ઉપર કેરેલા એવા ચંદનના સોળ સોળ કળશેની હારે, તેઓમાં સુગંધી પાણી ભરેલાં, તેમના કાંઠાઓમાં શતાં સૂતર નાંખેલાં અને તેનાં ઢાંકણું પક્વોત્પલના–એવા એ સર્વરત્નમય ઘડાઓ, હે દીર્ધજીવી શ્રમણ ! મેટામાં મેટા ઈન્દ્રકુંભની જેવા વિશેષ રમણીય જણાવેલા છે.
૧૧૫ વળી, તે બારણાંઓની બન્ને બાજુની બેઠકમાં સેળ સેળ નાગદંતની–આંકડિયાઓની–હારો આવેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org