________________
શ્રી રાયપણુઈય સુત્ત
૧૧૪ સૂર્યાભદેવના તે વિમાનની એક એક બાજુએ હજાર હજાર બારણું હોય છે એમ કહેવું છે અર્થાત્ તે વિમાનને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ ચારે બાજુનાં મળીને ચાર હજાર બારણાં હોય છે.
તે એક એક બારણું ઉંચાઈએ પાંચસે જન છે, પહોળાઈએ અને પ્રવેશે અઢીસે જન છે.
તે બધાં બારણું ધળાં છે, તેમની ઉપરનાં શિખરે સેનાનાં છે, એ શિખરોમાં વૃષભ મગર વિહગ માનવ કુંજર કિન્નર પદ્મલતા વગેરેનાં ચિત્ર કેરેલાં, એમના સ્તંભથાંભલા ઉપરની વેદિકાએ વજમય-એ બધાં હજારે કિરણોથી ઝળહળે છે, એવાં એ આંખને ઠારે એવાં સુખસ્પર્શવાળાં છે.
તે દરેક બારણાની નેમ વજીમય, મૂળ પાયા રિષ્ટરત્નના, થાંભલીઓ વૈડુર્યની અને તેનું તલ પંચરંગી ઉત્તમ મણિઓમાંથી બનેલું છે. ડેલીએ હંસગર્ભરત્નની, ઈદ્રકી ગોમેદના, બારસાખ લેહિતાક્ષરત્નની, તરંગો તિરસરનના, સૂઈ–ખીલીઓ–લેહિતાક્ષરતનની, સાંધાઓ વજના, ખીલીઓની ટોપીઓ વિવિધ મણિમય, આગળિયે અને તેનું અટકણ વજનું, આવર્તનપીઠ–ઉલાળાનું ટેકણું રજતનું, બારણનાં ઉત્તર પડખાં અંક રત્નનાં: એવી એ બારણાંઓની શોભાવાળી રચના છે. તેનાં કમાડ લગાર પણ આંતરા વિનાનાં ચપોચપ ભીડાય તેવાં મજબૂત છે. બારણાંની ભીંતેમાં બન્ને પડખે એક અડસઠ અડસઠ ભીંતાળીઓ છે અને તેટલી જ ગમાણસીઓ એટલે બેઠકે છે. વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org