________________
શ્રી રાયપણુઇય સુત્ત
૬૭
વિવિધ પ્રકારની લીલાઓવાળી, સુપ્રતિષ્ઠિત, સારી રીતે શણુગારેલી, રંગબેરંગી વસ્ત્રો પહેરેલી અને અનેક જાતની માળાઓ વડે શોભાયમાન છે. એમને કટિભાગ મૂઠીમાં આવી જાય એવું પાતળે, અંબોડે ઉંચે અને કઠણુ પીવર –ભરાવદાર–છાતી, આંખના ખૂણા રાતા, વાળ કાળા કમળ અને શાભાનિક છે. અશોક વૃક્ષ ઉપર તેની ડાળને ડાબે હાથે પકડીને એ પૂતળીઓ ઊભેલી છે. આંખમીંચામણુ કરતી એ, જાણે દેનાં મનને હરી ન લેતી હોય, એક બીજા સામું જોતી એ, જાણે પરસ્પર ખીજતી ન હોય, એવી જણાય છે. એ બધી બનેલી છે તે પૃથ્વીમાંથી– માટીમાંથી–પણ નિત્ય રહેનારી છે. એમનું મુખ ચંદ્ર જેવું લલાટ ચંદ્રાદ્ધ જેવું અને દેખાવ ચંદ્ર જેવો સૌમ્ય છે. ખરતા તારાની જેમ એ બધી ઝગમગ્યા કરે છે, મેઘની વીજળીને ઝબકારો અને પ્રખર સૂર્યને ચમકાટ એ કરતાં ય તેઓ વધુ ઝબકે છે–ચમકે છે. એવી એ પૂતળીઓ શંગારે આકારે અને વેશે પ્રસાદ ઉપજાવે એવી દેખાવડી અને મનોહર છે.
૧૧૮ વળી, એ બારણુઓની બન્ને બાજુની બેઠકેમાં સર્વરનમય સુંદર જાળીવાળાં સોળ સોળ રમણીય સ્થાને છે. બન્ને પડખેની એ બેઠકમાં સોળ સોળ ઘંટાની હારે ટાંગેલી જણાવેલી છે. એ ઘંટાઓ સુવર્ણમય, તેમના લેલકો વજામય, ઘંટાનાં બને પડખાં વિવિધ મણિમય, ઘંટાની સાંકળ સોનાની અને દોરીએ રૂપાની છે. તેમને રણકે મેઘના ગડગડાટ જે, સિંહની ત્રાડ જે, દુંદુભિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org