________________
શ્રી રાયપસેણુઇય સુત્ત
ના નાદ જે, હંસના સ્વર જેવો મંજુ છે એવા–એ કાન અને મનને ઠારે–સુખ આપે–તેવા રણકાવડે તે ઘંટાઓની આસપાસને પ્રદેશ પણ ગાજતો રહે છે.
૧૧૯ વળી, એ બારણુઓની બન્ને બાજુની બેઠકમાં સોળ સોળ વનરાઈઓ જણાવેલી છે. એ વનરાઈઓમાં વૃક્ષે વેલ ફણગા અને પાંદડાં મણિમય છે, એમના ઉપર ભમરાઓ ગુંજતા રહે છે. એવી એ વનરાઈઓ ટાઢી હિમ જેવી શીતળ અને પ્રાસાદિક છે.
વળી, તે બન્ને પડખેની બેઠકમાં વજીમય સોળ સોળ પ્રકંઠક–એટલાએ જણાવેલા છે. તે દરેકની લંબાઈ પહોળાઈ અઢીસે જન અને જાડાઈ સવાસો જન છે. તે તે એક એક પ્રકંઠક ઉપર એક એક મેટ ઉચે મહેલ આવેલે જણાવેલ છે, તે દરેક મહેલ અઢીસે યોજન ઊંચો અને સવાસે જન પહોળો છે. જાણે પ્રભાના પેજ ન હોય એવા એ મહેલે વિવિધ મણિઓ અને રત્નથી ખીચખીચ જડેલા છે. ઉપરાઉપર છત્રોથી શોભાયમાન વિજય વૈજયંતી પતાકાઓ એ મહેલ ઉપર પવનથી ફરફરતી રહે છે. એનાં મણિકનકમય શિખરો ઉંચાં આભને અડતાં છે. મહેલની ભીંતેમાં વચ્ચે વચ્ચે રત્નોવાળાં જાળિયાઓ મૂકેલાં છે. બારણાંમાં પેસતાં જ વિકાસમાન પુંડરીક કમળ અને તેમાં વિધવિધ તિલકે તથા અર્ધચંદ્રકે કરેલા છે. મહેલો અંદર અને બહાર લીસા સેનેરી વળથી લીંપેલા સુંદરતમ છે. જે પ્રકંઠકો ઉપર તે મહેલો છે તે પ્રકંઠકે પણ છત્રોથી શોભતી ધજાઓથી રમણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org