________________
૫૮
શ્રી રાયપાસેણઈય સુત્ત
૯૪ સાતમા નાટકમાં આગમનના અર્થાત્ ચંદ્રના આગમનના અને સૂર્યના આગમનના દેખાવો કરી બતાવવામાં આવ્યા.
૯૫ આઠમા નાટકમાં તેઓએ આવરણના-ચંદ્રના અને સૂર્યના આવરણના દેખાવ કરી દેખાડ્યા અર્થાત્ જ્યારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય ત્યારે જગતમાં અને ગગનમાં જે જાતનું વાતાવરણ પ્રસરે છે તે એ નાટકમાં પ્રત્યક્ષ કરી બતાવવામાં આવ્યું.
૯૬ નવમા નાટકમાં અસ્તનના દેખાવ આવ્યા એટલે જ્યારે ચંદ્ર અને સૂર્ય આથમી જાય છે ત્યારે જગતમાં અને આકાશમાં જે જે ઘટનાઓ બને છે તે બધી નજરેનજર ખડી કરવામાં આવી.
૯૭ દસમું નાટક ચંદ્રમંડલ સૂર્યમંડલ નાગમંડલ યક્ષમંડલ ભૂતમંડલ રાક્ષસમંડલ અને ગાંધર્વમંડલના અભિનામાં પૂરું થયું. એમાં ચંદ્ર સૂર્ય નાગ યક્ષ ભૂત રાક્ષસ અને ગાંધર્વ સંબંધી મંડલના ભાવો ભજવી બતાવ્યા.
૯૮ અગ્યારમું નાટક કુતવિલંબિત અભિનયને લગતું હતું, તેમાં વૃષભની અને સિંહની લલિત ગતિ, ઘોડાની અને ગજની વિલંબિત ગતિ, મત્ત ઘેડે અને મત્ત હાથીની વિલસિત ગતિ કરી બતાવવામાં આવી.
૯ બારમા નાટકમાં સાગર અને નગરના આકારોને અભિનયમાં કરી બતાવ્યા.
૧૦૦ તેરમું દિવ્ય નાટક નંદા અને ચંપાના અભિનયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org