________________
શ્રી રાયપાસેણઈય સુત્ત ૮૮ વળી, એ દેવકુમાર અને દેવકુમારીએ બીજું નાટક ભજવી બતાવવા પૂર્વ જણાવેલી રીતે એકસાથે એક હારમાં ભેગાં થઈ ગાવા નાચવા અને વાજાં વગાડવા લાગ્યાં તથા એ અભુત દેવરમતમાં મગુલ બની ગયાં.
૮૯ આ બીજા નાટકમાં તેમણે શ્રમણ ભગવાન મહાવીરની સામે આવર્ત પ્રત્યાવર્ત શ્રેણિ પ્રશ્રેણિ સ્વસ્તિક પૂસમાણુગ વર્ધમાનક મસ્યાંડક મકરાંડક જાર માર પુપાવલી પપત્ર સાગરતરંગ વસંતીલતા અને પદ્મલતાના અભિનય કરી દેખાડી બીજું નાટક પૂરું કર્યું.
૯૦ પછી ત્રીજું નાટક ભજવી બતાવવા ભેગાં થયેલાં તે દેવકુમાર અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે ઈહામૃગ બળદ ઘેડ માનવ મગર વિહગ-પક્ષી વાલ કિન્નર રુરુ શરભ ચમાર કુંજર વનલતા અને પલતાના અભિનયે કરી દેખાડ્યા.
૯૧ ચેાથું નાટક દેખાડતાં તે દેવકુમાર અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે એકતશ્ચક દ્વિધાચક એકતકવાલ દ્વિધાચકવાલ એમ ચકાર્ધ અને ચક્રવાલનો અભિનય ભજવી બતાવ્યું.
૯૨ પાંચમું નાટક ભજવતાં તેમણે આવલિકાઓને અભિનય કર્યો. એમાં એમણે ચંદ્રાવલિકા વલયાવલિકા હંસાવલિકા સૂર્યાવલિકા એકાવલિકા તારાવલિકા મુક્તાવલિકા કનકાવલિકા અને રત્નાવલિકાઓના દેખાવો કરી બતાવ્યા.
૯૩ છટું નાટક શરૂ કરતાં તેમણે ઉગમનના એટલે ચંદ્ર ઊગવાનાં અને સૂર્ય ઊગવાનાં દશ્ય ખડાં ક્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org