________________
શ્રી રાયપણુઈય સુત્ત
૫૫
ટટ્ટાર ઊભા રહી ફેલાઈ ગયાં અને પોતપોતાનાં નાચગાનનાં ઉપકરણે હાથપગમાં બરાબર ગેઠવી રાખી એક સાથેજ વગાડવા લાગ્યાં, નાચવા લાગ્યાં અને ગાવા લાગ્યાં.
૮૫ તેમનું સંગીત ઉરથી શરૂ થતાં ઉઠાવમાં ધીરું –મંદ મંદ, મૂર્ધામાં આવતાં તારસ્વરવાળું અને પછી કંઠમાં આવતાં વિશેષ તારસ્વરવાળું, એમ ત્રિવિધ હતું. જ્યારે એ બધાં ગાતાં હતાં ત્યારે તેનો મધુર પડછંદ નાટકશાળામાં આખાય પ્રેક્ષાગૃહવાળા મંડપમાં પડતે હતો. જે જાતના રાગનું ગાણું હતું તેને જ અનુકૂળ એમનું સંગીત હતું. ગાનારાઓનાં ઉર મૂર્ધા અને કંઠ એ ત્રણે સ્થાને અને એ સ્થાનનાં કારણે વિશુદ્ધ હતાં. વળી, ગુંજતો વાંસને પાવે અને વીણાના સ્વર સાથે ભળતું, એક બીજાની વાગતી હથેળીના અવાજને અનુસરતું, મુરજ અને કાંસીઓના ઝણઝણાટના તથા નાચનારાઓના પગના ઠમકાના તાલને બરાબર મળતું, વીણાના લયને બરાબર બંધબેસતું અને શરૂઆતથી જે તાનમાં પાવો વગેરે વાગતાં હતાં તેને અનુરૂપ એવું એમનું સંગીત કેયલના ટહુકા જેવું મધુરું હતું. વળી, એ સર્વ પ્રકારે સમ, સલલિત-કાનને કમળ, મનહર, મૃદુપદસંચારી, શ્રેતાઓને રતિકર, છેવટમાં પણ સુરસ એવું તે નાચનારાઓનું નાચસજજ વિશિષ્ટ પ્રકારનું ઉત્તમત્તમ સંગીત હતું.
૮૬ જ્યારે એ મધુરું મધુરું સંગીત ચાલતું હતું ત્યારે શંખ રણશિંગું શંખલી ખરમુખી પેયા અને પીરીપીરિકાને વગાડનાર તે દેવે તેમને ધમતા, પણવ પટહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org