________________
-
-
-
--
-
-
--
-
-
-
-
પર
શ્રી રાયપાસેણઈય સુત્ત તેણે સંખ્યય જન સુધીના લાંબા દંડને બહાર કાઢ, જાડાં મોટાં પુગલે તજી દીધાં અને જોઈએ તેવાં યથાસૂમ પુગલોનો સંચય કર્યો, વળી, બીજીવાર વૈકિયસમુઘાત કરી તેણે નરઘાના ઉપરના ભાગ જે સર્વ પ્રકારે સર્વ બાજુથી એકસરખે એ એક ભૂભાગ સજર્યો, તેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી સુશોભિત પૂવે વર્ણવેલા એવા અનેક મણિએ જ દીધા, સર્વ બાજુથી એકસરખા ભૂમંડળમાં વચ્ચે વચ્ચે તેણે એક પ્રેક્ષાગૃહ રચ્યું–નાટકશાળા ખડી કરી. એ નાટકશાળા, તેમાં બાંધેલે ઉલેચચંદર, અખાડે અને મણિની પેઢલી એ બધાનું વર્ણન આગળ કહેવાઈ ગયું છે તથા મણિની એ પેઢલી ઉપર સિંહાસન, છત્ર વગેરે જે આગળ વર્ણવાઈ ગયું છે તે બધું બરાબર ગોઠવી દીધું.
૮૦ ત્યારપછી એ સૂર્યાભદેવ શ્રમણ ભગવાન મહાવીરના દેખતાં તેમને પ્રણામ કરે છે અને “ભગવાન મને અનુજ્ઞા આપે ” એમ કહી પોતે બાંધેલી નાટકશાળામાં તેમની–તીર્થકરની–સામે ઉત્તમ સિંહાસનમાં બેસે છે.
- ત્યારબાદ બેસતાં વેંત તેણે અનેક પ્રકારનાં મણિમય કનકમય રત્નમય વિમલ અને ચકચકતાં કડાં પાંચી બેરખાં વગેરે આભૂષણોથી દીપતે ઊજળે પુષ્ટ અને લાંબે એવા પિતાને જમણો હાથ પસાર્યો.
એના એ જમણા હાથમાંથી સરખાં વય લાવણ્યરૂપ અને યૌવનવંતા, સરખાં નાટકીય ઉપકરણે અને વસ્ત્રાભૂષણથી સજેલા, ખભાની બન્ને બાજુમાં ઉત્તરીય વસ્ત્રથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org