________________
શ્રી રાયપાસેણીય સુત્ત
૫૧
પ્રાપ્તિ થવી સુલભ છે, તું આરાધક છે અને તું ચરમ શરીરી છે.
૭૮ ભગવાને આપેલ ઉત્તર સાંભળીને સૂર્યાભદેવનું ચિત્ત આનંદિત થયું અને પરમ સૌમનસ્યયુક્ત થયું. ભગવાનનો ઉત્તર સાંભળ્યા પછી એ સૂર્યાભદેવે ભગવાનને વાંદી નમી આ પ્રમાણે વિનંતી કરી : “હે ભગવન! તમે બધું જાણે છે અને જુએ છે, જ્યાં જ્યાં જે છે તે બધું તમે જાણે છે અને જુએ છે, સર્વ કાળના બના
ને જાણે છે અને જુએ છે, સર્વ ભાવેને તમે જાણે છે અને જુએ છે, મારી દિવ્ય ભદ્ધિસિદ્ધિને, મેં પ્રાપ્ત કરેલી દિવ્ય દેવહુતિને અને દિવ્ય દેવાનુભાવને પણ પહેલાં અને પછી તમે જાણે છે અને જુઓ છે; તે હે ભગવન્! આપ દેવાનુપ્રિય તરફની મારી ભક્તિને લીધે હું એવી ઈચ્છા કરું છું કે મારી દિવ્ય ઋદ્ધિસિદ્ધિ, દિવ્ય દેવવૃતિ અને દિવ્ય દેવપ્રભાવ તથા બત્રીશ પ્રકારની દિવ્ય નાટયકળા આ ગૌતમ વગેરે મણનિને દેખા.૯૦ ”
૭૯ શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાભદેવની ઉપર્યુક્ત વિનંતીને આદર ૯૧ ન આયે, અનુમતિ ન આપી અને તે તરફ મૌન રાખ્યું. ત્યારપછી બીજીવાર, ત્રીજીવાર પણ સૂર્યાભદેવે એવીજ વિનંતી કરી અને તેના ઉત્તરમાં ભગવાન મહાવીરે તેને આદર ન કરતાં માત્ર મૌન જ ધરી રાખ્યું. છેવટે તે સૂર્યાભદેવ, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈ, વાંદી નમી ઉત્તર પૂર્વની દિશા તરફ ગયો. ઈશાન ખૂણામાં જઈ તેણે વૈકિયસમુદ્દઘાત કર્યો, તે દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org