________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
૭૫ શ્રમણ ભગવાન મહાવીરનું કથન સાંભળી સૂર્યાભદેવ બહુ હષિત થયે, પ્રફુલ થયે અને ઘણેજ સંતુષ્ટ થયે; પછી તેમને વાંદી નમી તેમનાથી બહુ નજીક નહિ, તેમ બહુ દૂર નહિ, એવી રીતે બેસી તે સૂર્યાભદેવ તેમની શુશ્રુષા કરતે સામે રહી વિનયપૂર્વક હાથ જોડી શ્રમણ ભગવાન મહાવીરની પયુ પાસના કરવા લાગ્યો.
૭૬ તે વખતે શ્રમણ ભગવાન મહાવીરે પોતાના દર્શનાર્થે આવેલા સૂર્યાભદેવને, આમલકમ્પાના રાજા રાણીને તથા આમલકમ્પામાંથી આવેલી મોટી જનસભાને ધર્મદેશના સંભળાવી. દેશના સાંભળી જનતા તો પોતપિતાને ઠેકાણે ચાલી ગઈ.
૭૭ દેશના સાંભળીને પ્રસાદ પામેલા અને આલ્હાદિત હૃદયવાળા સૂર્યાભદેવે ઊભા થઈને પ્રણામપૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે ‘પૂછયું:
પ્રવેહે ભગવન ! શું સૂર્યાભદેવ ભવસિદ્ધિક–ભવ્ય છે કે અભવસિદ્ધિક–અભવ્ય છે? સમ્યગ્દષ્ટિવાળો છે કે મિથ્યા દ્રષ્ટિવાળો છે? સંસારમાં પરિમિતપણે ભમનારો છે કે અનંત કાળ સુધી ભમનારો છે? બોધિની પ્રાપ્તિ થવી તેને સારુ સુલભ છે કે દુર્લભ છે? શું તે આરાધક છે કે વિરાધક છે? તે ચરમ શરીરી છે કે અચરમ શરીરી છે?
“હે સૂર્યાભ !” એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે તેને નીચે પ્રમાણે ઉત્તર આપે :
ઉ–હે સૂર્યાભ! તું ભવ્ય છે, સમ્યગ્દષ્ટિવાળે છે, સંસારમાં પરિમિતપણે ભમનારો છે, તને બેધિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org