________________
શ્રી રાયપાસેણઈય સુત
૪૯
ભગવાનથી ઉત્તર પૂર્વના ભાગમાં-ઈશાન ખૂણામાં તેણે એ ચાનવિમાનને ધરતીથી ચાર આંગળ અધર રાખી ઊભું રાખ્યું.
૭ર મેટા પરિવારવાળી પિતાની ચાર પટ્ટરાણીએ, ગાંધર્વોનું અને નાટકીચાઓનું ટેળું એ બધા સાથે એ સૂર્યાભદેવ એ યાન વિમાન ઉપરથી ઉતરી નીચે આવ્યું. ત્યારબાદ સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવે અને એ યાન વિમાનમાં આવેલા બીજા બધા દેવો અને દેવીઓ કમશઃ નીચે આવ્યાં. એવા મેટા પરિવારથી વીંટાએલ સૂર્યાભદેવ, પોતાની સર્વ પ્રકારની દિવ્ય દ્ધિ સાથે, દેવવાદ્યોના મધુર ઘેષ સાથે ચાલતા ચાલતા શ્રમણ ભગવાન મહાવીર તરફ આ , ત્રણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમી તેમને વિનયનમ્ર રીતે કહેવા લાગ્યઃ
૭૩ “હે ભગવન્! હું સૂર્યાભદેવ મારા સકલ પરિવાર સમેત, આપ દેવાનુપ્રિયને વંદન કરું છું, નમન કરું છું અને આપની પર્યપાસના કરું છું.”
૭૪ “હે સૂર્યાભ !” એમ કહી શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાભદેવને આ પ્રમાણે કહ્યું: “હે સૂર્યાભ! એ પુરાતન છે, હે સૂર્યાલ ! એ “જીત છે, હે સૂર્યાલ ! એ કૃત્ય છે, તે સૂર્યાભ! એ કરણીય છે, હે સૂર્યાભ! એ આચરાએલું છે અને હે સૂર્યાભ! એ સંમત થએલું છે કે “ભવનપતિના, વાનવંતરના, તિષિકના અને વૈમાનિક વર્ગના દેવો અરહંત ભગવંતેને વાદે છે, નમે છે, અને પછી પોતપિતાનાં નામ ગોત્ર કહે છે,” તો હે સૂર્યાભદેવ! તું જે કરે છે તે પુરાતન છે અને સંમત થએલું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org